ગુજરાતમાં કોરોના સંકટે ચિંતા વધારી છે અને હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને લોકડાઉન કરવાના નિર્દેશ કર્યા છે ત્યારે રાજ્યની 4 મનપા નહીં પરંતુ 6 મહાનગરપાલિકા વિસ્તારમાં લોકાડાઉન થવાના એંધાણ છે.
રાજ્યના 6 મનપામાં લાગી શકે છે વીક એન્ડ લોકડાઉન
હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકાર લઇ શકે છે નિર્ણય
આજે સાંજે યોજનારી કોર કમિટીની બેઠકમાં લોકડાઉન અંગે ચર્ચા થશે
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં સોમવારે કોરોનાના કેસ 3160 નોંધાયા છે. ત્યારે હવે ગુજરાતના 4 મહાનગરો જ નહીં પરંતુ 6 શહેરોમાં પણ કોરોનાને કારણે લોકડાઉન લાગી શકે છે.
4 નહીં પરંતુ 6 મનપામાં લાગી શકે છે લોકડાઉન
ઉલ્લેખનીય છે કે, 4 મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ ખરાબ છે. તો વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ સાથે જ જામનગર અને ભાવનગરમાં પણ કોરોનાની કેસની સ્થિતિ વણસી રહી છે. તેને જોતા રાજ્યની 6 મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાને લઈને લોકડાઉન લાદવામાં આવી શકે છે.
પ્રજાના હિતમાં નિર્ણય લેવાની CM રૂપાણીએ કરી વાત
કોરોના સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે.
રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યૂને લઈને કરી શકે છે જાહેરાત
રાજ્યમાં કર્ફ્યૂને લઇ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આ અંગે VTV ન્યુઝ પાસે એક્સલુઝીવ માહિતી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે. રાજ્ય સરકારે હાઇકોર્ટના નિર્દેશનો અભ્યાસ શરુ કર્યો છે. એડ્વોકેટ જનરલ સાથે સરકારે ચુકાદાને લઇ ચર્ચા શરૂ કરી છે. હાલ 4 મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ કર્ફ્યુ લાગી શકે છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે. મહત્વનું છે કે, ગઇકાલે ગુજરાતમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે.
આજે અથવા કાલે હાઈપાવર કમિટિની મળશે બેઠક!
મહત્વનું છે કે, રોજના સરેરાશ 3 હજાર કોરોના કેસ નોંધાતા સ્થિતિ ગંભીર બની છે. રાજ્ય સરકાર એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને હાઈપાવર કમિટિમાં નિર્ણય લેશે. રાજ્ય સરકારની હાઈપાવર કમિટિ આજે સાંજે અથવા કાલે મળે તેવી શક્યતા છે. હાઈકોર્ટે કરેલા અવલોકનની રાજ્ય સરકારે એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરી છે.
રાજ્યમાં વિકેન્ડ કર્ફ્યુની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.
હાઈકોર્ટે શું કર્યા નિર્દેશ?
કોરોનાની ચેઇન તોડવી જરૂરીઃ હાઈકોર્ટ
હાલની સ્થિતિ કર્ફ્યુ લગાવવા જેવીઃ હાઈકોર્ટ
કોરોનાને અટકાવવા નક્કર પગલાં જરૂરીઃ હાઈકોર્ટ
રાજકીય મેળવડા બંધ કરાવવા નિર્દેશ
જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા નિર્દેશ
કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા નિર્દેશ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બની રહી છે વિકટ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને આપ્યા નિર્દેશ
3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો નિર્દેશ
વિકેન્ડ કર્ફ્યુ બાબતે પણ નિર્ણય લેવા ટકોર
ગુજરાતમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 3160 કેસ નોંધાયા હતા. તો 2028 દર્દીઓ સાજા થયાં હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો ગઇકાલે 15 લોકોના સારવાર દરમિયાન મોત થયાં હતા. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4581 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.