કોરોનાના કહેરને લઈને 3 મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં તો કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે તેમ છતાં સુરતીલાલાઓ સમજવાનું કાંઇ નામ જ ન લેતા હોય તેવું લાગી રહ્યું છે.
કોરોનાના કહેરને પગલે લૉકડાઉન
સુરતના રાંદેર વિસ્તારમાં જાહેરમાં વેચાઇ આલુપુરી
વીડિયો થયો વાયરલ
લોકડાઉન હોવા છતાં સુરતના રાંદેર વિસ્તારમાં લારીઓ પર લોકોની ભીડ જોવા મળી હતી. રાંદેર વિસ્તારમાં જાહેરમાં આલુપુરી વેંચાઈ રહી છે. મોટી સંખ્યામાં લોકોએ આલુપુરી ખાવા માટે ટોળા કર્યા હતા. જો કે, આ ઘટના અંગેનો વીડિયો વાયરલ થયાં બાદ સુરત પોલીસે આલુપુરીનું વેચાણ કરનારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રેડઝોન જાહેર કરાયો છે છતાં લોકો ખાઇ રહ્યા છે આલુપુરી
મહત્વનું છે કે, શહેરના રાંદેર વિસ્તારમાં અત્યાર સુધી કોરોનાના 10થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને કારણે તંત્ર દ્વારા રેડ ઝોન જાહેર કરાયો છે. રેડ ઝોનના કારણે પેરામિલેટ્રી ફોર્મ તૈનાત કરાઈ છે. પેરામિલેટ્રીના જવાનો તૈનાત હોવા છતા લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે.
અમદાવાદ બાદ સુરતમાં 5 વિસ્તારોમાં કર્ફ્યૂ
અમદાવાદ બાદ સુરત શહેરના 5 વિસ્તારોમાં કર્ફ્યૂ જાહેર કરાયું છે. શહેરના સલાબતપુરા, લાલગેટ, આઠવાલાઈન, લિંબાયત અને મહિધરપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરાયું છે. આજ રાતથી શહેરના 5 વિસ્તારમાં 22 તારીખ સુધી કર્ફ્યૂ જાહેરકરાયું છે. કર્ફ્યૂ દરમિયાન મહિલાઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી છૂટ મળશે. આ તમામ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ તૈનાત રહેશે.