ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે ચાલી રહેલા લોકડાઉનના પગલે પરપ્રાંતિય શ્રમિકોને તકલીફ પડી રહી હોવાને લઇને ચર્ચાએ વેગ પકડ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં લોકડાઉનમાં તંત્રને ખોટી રજૂઆતો મળી રહી છે.
બિહારના શ્રમિકોએ CM નીતિશ કુમારને કરી રજૂઆત
ગુજરાતમાં સુવિધા અને અનાજની પરેશાની મુદ્દે કરી ચર્ચા
સમગ્ર મામલે નીતિન કુમાર અને CM રૂપાણી વચ્ચે ટેલિફોનિક વાત
મહત્વનું છે કે બિહારના શ્રમિકો દ્વારા આ અંગેની રજૂઆત નીતિશ કુમારને કરી હતી જેને લઇને આ સમગ્ર મામલે નીતિશ કુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ હતી. જો કે સરકાર દ્વારા તપાસ કરવામાં આવતા ખોટી રજૂઆત થઇ હોવાનું ખુલ્યું હતું.
રાજકોટમાં લોકડાઉનમાં તંત્રને ખોટી રજૂઆત મળી રહી છે. તંત્રને 196 જેટલી ખોટી રજૂઆત મળી છે. બિહારના શ્રમિકોએ CM નીતિશ કુમારને રજૂઆત કરી છે. ગુજરાતના આગેવાનોના માધ્યમથી CM નીતિશ કુમારને રજૂઆત કરી હતી.
ગુજરાતમાં સુવિધા અને અનાજની પરેશાની મુદ્દે ચર્ચા કરી હતી. આ સમગ્ર મામલે નીતિશ કુમાર અને CM રૂપાણી વચ્ચે ટેલિફોનિક વાત થઇ હતી. સરકાર દ્વારા તપાસ કરતા ખોટી રજૂઆત થઇ હોવાનું ખુલ્યું છે. તપાસમાં શ્રમિકોને કોઇ તકલીફ ન હોવાનું સામે આવ્યું છે. શ્રમિકો માત્ર બિહાર જવા માટે ખોટી રજૂઆતો કરી રહ્યાં હતા.