કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા મજુરો અને વિદ્યાર્થીઓને ઘરે મોકલવાની પરવાનગી આપી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે આખરે પ્રવાસી કામદાર મજુરોને આખરે ઘરે જવાની પરવાનગી મળી ગઈ. કેન્દ્ર સરકારનો આ નિર્ણય યોગ્ય છે. આ સાથે ગહેલોતે કહ્યુ હતું કે જો શક્ય હોય તો ટ્રેન સેવા શરૂ કરે આ માટે તો મજૂરોને મોકલવામાં સરળતા રહેશે.
મજુરોને પાછા મોકલવાનો કેન્દ્ર સરકરાનો નિર્ણય આવકાર્ય છે.
જો ટ્રેન સેવા શરુ કરી દે તો તેમને પહોંચાડવામાં સરળતા રહેશે
સરકારને જે તે રાજ્યોમાં ફસાયેલા મજુરોને વતન મોકલવા ગાઈડલાઈન તૈયાર કરી
તેમણે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાનના અલગ અલગ 6 લાખ મજુરોના આવદેન મળ્યા. આ મજુરો તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પ. બંગાળ, આસામ અને નોર્થ ઈસ્ટ જેવા વિસ્તારમાંથી છે. આવામાં કેન્દ્ર સરકારને મારી સલાહ છે કે ટ્રેન સેવાના માધ્યમથી આ તમામને તેમના નિયત સ્થળે મોકલી દઈ શકા.
ઉલ્લેખનીય છે કે આજે જ સરકારે દેશના વિવિધ ભાગોમાં લોકડાઉનને પગલે ફસાયેલા લાખો પરપ્રાંતીય કામદારો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવાની રાજ્ય સરકારોને સૂચના આપી હતી. કોરોના વાયરસના વધતા કેસ અને મોતના આંકડાઓને પગલે એવું લાગી રહ્યું છે કે લોકડાઉનને લંબાવવામાં આવશે પરંતુ થોડા ભાગોને રાહત ચોક્કસ મળશે તેમ સરકારનું કહેવું છે.
કેન્દ્ર સરકારે આ ગાઈડનલાઈનમાં કહ્યું છે કે તમામ રાજ્યોએ લોકોને મોકલવા અને આવવા દેવા માટે નોડલ ઓથોરિટી અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવા પડશે. આ માટે રજિસ્ટર પણ મેઇન્ટેઈન કરવું પડશે.
જો સમૂહમાં લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માંગતા હોય તો આંતરિક સમજૂતીથી રોડ માર્ગે મોકલવાના રહેશે.
દરેક વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જો કોઈ લક્ષણો નહીં જણાય તો જ તેને જવા દેવાની મંજૂરી અપાશે
ફસાયેલા લોકોને સ્થળાંતરિત કરવા માટે બસોનો ઉપયોગ કરાશે. બસને વ્યવસ્થિત સેનેટાઈઝ કરવી પડશે અને સીટિંગ વ્યવસ્થામાં ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
આગમન સમયે રાજ્યના સ્થાનિક તંત્રએ વ્યક્તિની તપાસ કરવાની રહેશે અને જો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન જણાય તો તેમને હોમ ક્વૉરન્ટાઈન રાખવા પડશે. તેમની હેલ્થ પર સતત વૉચ રાખવી પડશે અને આ માટે આરોગ્ય સેતુનો ઉપયોગ કરવાનો રહેશે.