પશ્ચિમ બંગાળના સોનારપુરમાં કોરોના સંક્રમણ વધતા અહીયા 3 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.જોકે આ લોકડાઉન દરમિયાન અહીયા ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે
પશ્ચિમ બંગાળના સોનારપુરાં કોરોના સંક્રમણ વધ્યું
સંક્રમણ કાબૂમાં લેવા 3 દિવસનું લોકડાઉન જાહેર કરાયું
સોનારપુર કોલકત્તા કરતા માત્ર 20 કિમી દૂર
પશ્ચિમ બંગાળમા આવેલ દક્ષિણ 24 પરગના જિલ્લામાં આવેલ સોનાર પુરમાં કોરોના સંક્રમણ વકરવાને કારણે અહીયા 3 દિવસનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં માત્ર ઈમરજન્સી સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. સોનારપુરમાં કુલ 19 કંટેન્ટમેંટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
સોનારપુર કલકત્તાથી માત્ર 20 કિમી દૂર
આપને જણાવી દઈએ કે સોનારપુર કલકત્તાથી માત્ર 20 કિમી દૂર છે. ઈન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા બંગાળ સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જેમા તેમણે ઉલ્લેખ કર્યો છે કે દુર્ગા પૂજા પછી કોરોનાના કેસ વધ્યા છે. સાથેજ તેમણે આને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે.
દુર્ગાપૂજા પછી કેસ વધ્યા
ICMRના જણાવ્યા પ્રમાણે દુર્ગાપૂજા પછી કલકત્તામાં કોરોનાના કેસ 25 ટકા વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા 248 કેસ સામે આવ્યા છે. સાથેજ 6 લોકોના મોત પણ થયા છે. જેના કારણે અહીયા હવે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે કેન્દ્ર સરકારે પણ સમીક્ષા કરવા માટે કહ્યું છે.
કોરોના સંક્રમણને લઈ લોકોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ગત મંગળવારે 806 નવા કેસ નોંધાયા છે. સાથેજ 15 દર્દીઓના મોત થયા છે. તે પહેલા સોમવારે અહીયા 805 કેસ નોંધાયા હતા. અહીયા અત્યાર સુધીમાં કોરોનાના કુલ 15 લાખ 88 હજાર કેસ નોંધાઈ ચુક્યા છે. સાથેજ કોરોનાને કારણે અહીયા અત્યાર સુધીમાં 19 હજાર લોકોના મોત થયા છે. ત્યારે વધુંમાં અહીયા ફરી કોરોના રાફડો ફાટી નિકળ્યો છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.