પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના કરેલા લોકડાઉન બાદ લોકો જીવનજરૂરિયાતની વસ્તુને લઇને ઘરની બહાર નીકળી રહ્યાં છે. ત્યારે લોકો શાકભાજી માટે પડાપડી ન કરે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરે બેઠા પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન દ્વારા 48 વોર્ડ માટે 48 રીક્ષા મુકવામાં આવી છે.
AMC દ્વારા ડોર ટૂ ડોર રીક્ષા મારફતે ઘરઆંગણે પહોંચાડાયું શાકભાજી
ગરીબ શ્રમિકો ને પણ આપવામાં આવશે શાકભાજી
ડોર ટુ ડોર વ્હીકલમાં પહોંચાડવામાં આવ્યું શાકભાજી
રાજ્યમાં લોકડાઉન દરમિયાન શહેરમાં લોકોને ઘરઆંગણે શાકભાજી પહોંચાડવાની યોજના શરૂ કરી છે. જો કે આ શાકભાજી મેળવવા માટે કોર્પેરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી એક ફોર્મ ભરવાનું રહેશે. એએમસી દ્વારા બહાર પાડવામાં આવેલા ફોર્મમાં સોસાયટીનું નામ, સરનામું કેટલા પરિવાર છે.
કોર્પોરેશનના ફોર્મમાં ઘરદીઠ વ્યક્તિઓની સંખ્યા તેમજ સોસાયટીના કોઇ એક વ્યક્તિનું નામ-મોબાઇલ નંબર આપવનો રહેશે. જો કે કોર્પોરેશન દ્વારા સોસાયટીના એક અધિકૃત વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે.
કોર્પોરેશનના વાહનમાં ટીમ સાથે આ અધિકૃત વ્યક્તિ સવારે નજીકમાં આવેલી મુખ્ય વેજીટેબલ માર્કેટમાંથી શાકભાજી લઇને રૂપિયા ચૂકવવાના રહેશે. શાકભાજી ઉતારવાની વ્યવસ્થા પણ કોર્પોરેશન કરી આપશે.
અમદાવાદમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. જો તમે અમદાવાદમાં રહેતા હોય તો AMC ઘરે ઘરે શાકભાજી પહોંચાડશે. જેમાં રિક્ષા મારફતે સોસાયટીઓ સુધી શાકભાજી પહોંચાડવામાં આવી રહી છે. ગરીબો અને શ્રમિકોને પણ શાકભાજી આપવામાં આવી રહ્યું છે. ડોર ટુ ડોર વ્હીકલમાં શાકભાજી પહોંચાડવામાં આવી રહ્યું છે.