લૉકડાઉન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લર નહીં શરૂ થાય પરંતુ સલૂન કર્મીને પોતાના ઘરે બોલાવીને હેર કટિંગ કરી શકશે. બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરીને છૂટછાટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો
રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લર નહીં થાય શરૂ
ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ થશે
રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે, લૉકડાઉન 4.0માં રાજ્યમાં હેર સલૂન અને બ્યુટી પાર્લર નહીં ખુલે. કારણ કે હેર સલૂનમાં ભીડ એકઠી થાય છે અને તેના કારણે હેર સલૂન, બ્યુટી પાર્લરમાં કોરોના વધુ સંક્રમણ ફેલાવાની સંભાવના રહે છે. જેથી હેર સલૂન અને બ્યુટી પાર્લર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, લોકો હેર સલૂન કર્મીને પોતાના ઘરે બોલાવીને હેર કટિંગ કરી શકશે. જોકે તે અંગે કેટલાક નિયમોનું તેમને પાલન કરવાનું રહેશે.
ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ થશે
ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ થશે. પરંતુ કેટલાક નિયમોને આધીન પાન પાર્લર શરૂ કરવાના આદેશ આપવામાં આવશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરી શકાશે. જ્યારે જાહેરમાં તમાકુનું સેવન કરનાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરાશે. જાહેરમાં થૂંકનારને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
મુખ્યમંત્રીએ 4 મનપાના કમિશ્નર સાથે કરી ચર્ચા
સીએમ રૂપાણીએ 4 મનપા કમિશનર સાથે ચર્ચા કરી છે. 4 મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સમાં મહત્વની ચર્ચા કરાઇ. મુખ્યમંત્રી સાથે યોજાયેલી પ્રથમ તબક્કાની બેઠકમાં મનપા વિસ્તારમાં છૂટછાટ અંગે ચર્ચા કરવામાં આવી. જેમાં મળતી માહિતી મુજબ બફર અને કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં દુકાનો શરૂ થશે. સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. રિટેલ અને હોલસેલની દુકાનો ખુલશે. આવશ્યક ચીજવસ્તુ સિવાયની પણ દુકાનો ખુલશે.