લૉકડાઉન 4.0માં મુખ્યમંત્રીએ 'હું પણ કોરોના વોરિયર્સ' અભિયાન શરુ કર્યું છે. ત્યારે આ અંગે તેમણે વીડિયો કોન્ફરન્સથી જાહેરાત કરી છે. CMએ કહ્યું કે, કોરોના સામેનુ યુદ્ધ આપણે સાથે રહીને લડવાનું છે. તેથી 'હું પણ કોરોના વોરિયર' અભિયાન આવતીકાલથી શરૂ કરીશું. આ ગુજરાત સરકારનું અભિયાન 21 મેથી 27 મે સુધી ચાલશે.
'હું પણ કોરોના વૉરિયર' અભિયાન કાલથી શરૂ
હવે કોરોનાનું નિદાન ન મળે ત્યા સુધી કોરોના સામે સિધી લડાઈ
'#hupancoronawarrior' ના નામે પોસ્ટ કરોઃ CM
સીએમએ કહ્યું, હવે કોરોના સામે લડવાનું સિધુ યુદ્ધ શરૂ થયુ છે. કોરોનાનું નિદાન ન મળે ત્યા સુધી કોરોના સામે સિધી લડાઈ છે. કોરોનાની સાથે જીવવાનું પણ અને લડવાનું પણ છે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતીની જરૂર છે. કોરોના સામેનુ યુદ્ધ આપણે સાથે રહીને લડવાનું છે.
મુખ્યમંત્રીએ 'હું પણ કોરોના વોરિયર્સ અભિયાન' 21 મેથી 27 મે સુધી શરુ કર્યું છે. સીએમએ કહ્યું સોશિયલ મીડિયા પર '#hupancoronawarrior' ના નામે પોસ્ટ કરો. રૂપાણીએ કહ્યું કોરોના વૉરિયર્સ ત્રણ બાબતે ખાસ ધ્યાનમાં રાખશે. વડીલ અને બાળકોને ઘરમાં જ રહેવા અને માસ્ક વગર ઘરની બહાર ન નિકળીએ તેવો અનુરોધ કરું છું. 22મી મેના રોજ દાદા-દાદી-માતા-પિતાની સેલ્ફી એપલોડ થશે. બહાર નિકળીએ ત્યારે બે ગજની દુરી બનાવવાની છે. 'હું પણ કોરોના વોરિયર્સ'ને સામાજિક અભિયાન બનાવીશું.
ગુજરાત આખુ એક પરિવાર: CM
સીએમએ કહ્યું કે, સોશિયલ ડિસ્ટંસની ખાસ કાળજી લેવાની રહેશે. ઈમ્યુનિટી વધારવા માટે ખાસ પ્રયાસો હાથ ધરવા પડશે. આગળના એક સપ્તાહ સુધી સોશિયલ મીડિયાથી માર્ગદર્શન મળશે પોતાનું પણ ધ્યાન રાખો અને પોતાના પરિવારનું પણ ધ્યાન રાખો. ઘરની બહાર નિકળો તો ધ્યાન રાખજો. ગુજરાત આખુ એક પરિવાર છે.
ગુજરાત સરકારે કોરોના સામે સંપૂર્ણ શક્તિ લગાડી દીધી: CM
CM વિજય રૂપાણીએ જણાવ્યું કે, પ્રજાએ લૉકડાઉનના સમયમાં સ્વયં શિસ્ત પાળ્યુ છે. ગુજરાત સરકારે કોરોના સામે સંપૂર્ણ શક્તિ લગાડી દીધી છે. કોરોના વાયરસના 2 માસ બાદ રાજ્યમાં છૂટછાટો આપવામાં આવી છે. વર્ષો બાદ આવી મહામારીનો સામનો કરવો પડ્યો છે.
લૉકડાઉનમાં છેવાડાના માનવીઓ સુધી અનાજ પહોંચાડ્યુ છે અને કાર્ડ વગરના ગરીબો અને શ્રમિકોને પણ અનાજ પહોંચાડ્યું છે. 2 માસ સુધી પરપ્રાંતિયોને ગુજરાતે સાચવ્યા છે. ભારતની આઝાદી બાદ મોટુ માઈગ્રેશન જોવા મળ્યુ છે. પરપ્રાંતિયોને વતન પાછા જવા માટે વ્યવસ્થાઓ ગોઠવી છે.
રાજ્ય સરકારે વાર્ષિક 2 ટકાના ધોરણે એક લાખની લોન માટે વ્યવસ્થા કરી છે. અને સરકારના મંત્રીઓ અને આગેવાનો ખડેપગે રહ્યા છે. પોલીસ, મેડિકલ સ્ટાફ વગેરેએ સમર્પણ ભાવથી કામ કર્યુ છે.