ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફની દવાના કારણે 18 બાળકોના મોત બાદ નોઈડાની કંપની પર સવાલો, સ્વાસ્થ્ય મંત્રાલય આવ્યું હરકતમાં
ભારતીય કફ સિરપ પીવાથી ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો દાવો
આ મામલામાં પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નજર
29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ
ભારતીય કફ સિરપ ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો દાવો કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ સમગ્ર મામલામાં પોતાની નજર રાખી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે ટ્વિટર દ્વારા આ મામલે પોતાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેક ની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફની દવાના કારણે 18 બાળકોના મોત બાદ નોઈડાની કંપની મેરિયન બાયોટેક પર સવાલો ઉઠી રહ્યા છે. ઉઝબેકિસ્તાનના આ દાવા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતને ભારતીય કફ સિરપ સાથે જોડીને મૃત્યુઆંકનો રિપોર્ટ માંગ્યો છે.
Following inspection by @CDSCO_INDIA_INF team in view of reports of contamination in cough syrup Dok1 Max, all manufacturing activities of Marion Biotech at NOIDA unit have been stopped yesterday night, while further investigation is ongoing.
ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કથિત મૃત્યુના દાવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ આ મામલે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા માંગતું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે આ મામલે નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ કંપનીની તપાસના આધારે આગળના પગલાં લેવામાં આવશે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે, ડોક-1 મેક્સ દવા પીવાથી બાળકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, મેરિયન બાયોટેક કંપની ભારતમાં ખાંસીની દવા Doc-1 Max વેચતી નથી અને તે માત્ર ઉઝબેકિસ્તાનમાં જ નિકાસ કરવામાં આવી છે.
શું કહ્યું મનસુખ માંડવીયાએ ?
માંડવિયાએ જણાવ્યું હતું કે, નોઈડામાં કંપનીના પરિસરમાંથી કફની દવાના નમૂના લેવામાં આવ્યા છે અને ચંદીગઢની પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળા (RDTL) માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત કફની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ગુરુવાર (29 ડિસેમ્બર) રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે.
ઉઝબેકિસ્તાને 18 બાળકોના મોતનો દાવો
ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા 18 બાળકોએ ડોક-1 મેક્સ સીરપ પીધું હતું. તેનું ઉત્પાદન નોઈડા સ્થિત મેરિયન બાયોટેક દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ થયા પહેલા મૃત બાળકોએ 2-7 દિવસ સુધી દિવસમાં 3-4 વખત આ દવા લીધી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. હવે ઉઝબેકિસ્તાન સરકારે ભારત સરકારને આ મામલાની તપાસ કરવા અને આરોપી કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.