પશ્ચિમ વિસ્તારમાં 24 કલાકથી વીજળી ડૂલ થતા લોકોમાં રોષ
રોષે ભરાયેલા ટોળાએ DGVCLમાં જઈને પથ્થરમારો કર્યો
એક તરફ રાજ્યમાં વીજળીને લઇને વિરોધ થઇ રહ્યા છે. અપૂરતા પ્રમાણમાં વીજળી મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. ખેડૂતોને સિંચાઇ માટે વીજળી વિના પાણી મળતુ નથી. તો બીજી તરફ રાજ્યના કેટલાય ગામોમાં વીજળીને લઇને હજી પણ ધાંધિયા જોવા મળી રહી છે. દરેકના ઘરે વીજળી પહોંચી હોવાની જાહેરાત તો કરવામાં આવે છે પરંતુ ઘણા એવા ગામો છે જ્યાં વીજળીની સુવિધા હોવા છતાં ગામવાસીઓને વીજળી નસીબ થતી નથી. તેમાં પણ આવો આકરો ઉનાળો. ગરમીમાં શેકાઇ જવાનો વારો આવે છે. ત્યારે નવસારીના બિલીમોરામાં પણ વીજળી ન મળતા સ્થાનિકોની ધીરજ ખૂટી .
DGVCLકંપની પથ્થરમારો
નવસારીના બિલીમોરા શહેરમાં DGVCLકંપનીમાં પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી વીજળી ડૂલ થતા સ્થાનિકો પરેશાન થયા હતા. આકરા ઉનાળામાં વીજળી ન મળતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આથી રોષે ભરાયેલા ટોળાએ બીલીમોરા શહેરમાં DGVCL કંપનીમાં પથ્થરમારો કર્યો. આશરે 200 જેટલા લોકોએ પથ્થર મારો કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.
સ્થાનિકોને ક્યારે મળશે વીજળી ?
ત્યારે અહીં સવાલ એ થાય છે કે સ્થાનિકોએ કંપની પર પથ્થરમારો કર્યો તે વાત વ્યાજબી નથી પરંતુ DGVCL શા માટે સ્થાનિકોને વીજળી પુરી પાડતી નથી. ? 24 કલાક વીતી જવા છતાં સ્થાનિકોને કેમ નથી અપાતી વીજળી. સરકારી ઓફિસોમાં એસીમાં બેસી રહેતા અધિકારીઓને ક્યારે દેખાશે આ ગ્રામજનોની સ્થિતિ. શું બીલીમોરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજળી મળશે ખરા ?