વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ફરી ચર્ચામાં
લોકો માટે બન્યું મુસીબતનું કેન્દ્ર
કોલોની અને પ્લાન્ટ માંથી થાય છે જળપ્રદુષણ
વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર છે જે ગુજરાત રાજ્યમાં આવેલું કોલસા વડે સંચાલિત તાપ વિદ્યુત કેન્દ્ર છે. જે 1982માં શરૂ થયું હતું. આ કેન્દ્રમાં સાત એકમો છે, દરેક ૨૧૦ મેગાવોટની ક્ષમતા ધરાવે છે. પરંતુ, વિદ્યુત ઉત્પાદન માટે અગત્યનું આ કેન્દ્ર આજકાલ લોકોના આરોગ્ય માટે મુસીબતનું કેન્દ્ર બન્યું છે.
પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
આપ જોઈ રહ્યા છો તે વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર છે, જે ગુજરાત રાજ્યમાં આવેલું આ વિદ્યુત કેન્દ્ર કોલસા વડે સંચાલિત છે. મહીસાગર જિલ્લામાં મહી નદી પર વણાકબોરી ગામ નજીક આવેલું હોવાના કારણે તે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન તરીકે ઓળખાય છે. આ કેન્દ્ર 1982માં શરૂ થયું હતું. આ કેન્દ્રમાં સાત એકમો છે, જે દરેક ૨૧૦ મેગાવોટની ક્ષમતા ધરાવે છે. જો કે, વિદ્યુત ઉત્પાદન માટે અગત્યનું આ કેન્દ્ર આજકાલ લોકોના આરોગ્ય માટે મુસીબતનું કેન્દ્ર બન્યું છે. કુણી ગામ પાસેથી પસાર થતી નદીમાં થર્મલ પ્લાન્ટની કોલોની દ્વારા પ્રદુષણ ઠલવાઈ રહ્યું છેથર્મલ પાવર પ્લાન્ટની કોલોની માંથી જૈવિક કચરો મહિસાગર નદીમાં ઠાલવવામાં આવતાં આણંદસુધી જતું પાણી દૂષિત થઈ રહ્યં છે. પાણી પીવાથી રોગચાળાનો ભય રહે છે. કોલોનીના મકાનો અને પ્લાન્ટનું દૂષિત પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતાં મહીસાગર નદીની ઈકોસિસ્ટમાં વસતા જળચર પર પણ ગંભીર અસર પડી રહી હોવાની ફરિયાદો ઊઠી છે.
લોકોની ફરિયાદ બાદ GPCB સતર્ક
જો કે, હવે લોકોની ફરિયાદોના પગલ જીપીસીબી દ્વારા નદીના પાણીના સેમપ્લ લઈને તપાસ કરવામાં આવી રહી છે. નડીયાદ પ્રદૂષણ વિભાગની ટિમોએ નદીના પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યાં છે. ફ્લાય એશથી થતા હવા પ્રદૂષણ અંગે પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત સાગોલમાં આવેલ સિમેન્ટ ફેકટરીથી થતાં પ્રદુષણ અંગે પણ GPCBએ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે તપાસ બાદ કંઈ નક્કર પગલા ભરવામાં આવે છે કે કેમ?