સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને IBના સર્વેમાં મહત્વનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 80 ટકા મતદાતાઓ ભાજપની તરફેણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને IBના સર્વેમાં મહત્વનો દાવો
80 ટકા મતદાતાઓ ભાજપની તરફેણમાં હોવાનો દાવો
ઓવૈસી ફેકટર અન્ય પક્ષોને પહોંચાડી શકે છે નુકસાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ IBના સર્વેમાં મહત્વનો દાવો કરાયો છે. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 80 ટકા મતદાતાઓ ભાજપની તરફેણમાં છે.
સર્વેમાં દાવો કરાયો છે કે ઓવૈસી ફેક્ટર અન્ય પક્ષોને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ મનપાઓમાં ઓવૈસી ફેક્ટરના કારણે ભાજપને ફાયદો થઇ શકે છે.
AIMIMના કારણે અન્ય પક્ષોના સમીકરણોને અસર પડી શકે છે. સર્વે મુજબ પાટીદાર આંદોલન વખતની સ્થિતિથી ભાજપ વધુ મજબૂત સ્થિતિમાં છે. અને એક વોર્ડમાં 20થી વધુ દાવેદારી થાય તેવી પણ સ્થિતિ છે.
IBના સર્વેમાં સામે આવ્યું છે કે AAP અને કોંગ્રેસની સક્રિયતાને કારણે ચાલુ પેનલો તૂટી શકે છે. અને હાલની સ્થિતિમાં ભાજપને 80 ટકા સીટો મળી શકે છે.