અમદાવાદ સહિત તમામ છ મનપામાં ભાજપની વિજયકૂચ. શહેરી મતદારોએ પરિવર્તન નહીં પણ પુનરાવર્તન પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસ ફરી એક વખત લોકોનાં દિલ જીતવામાં સાવ નિષ્ફળ રહી છે.
અમદાવાદ સહિત તમામ છ મનપામાં ભાજપની વિજયકૂચ
શહેરી મતદારોએ પરિવર્તન નહીં પણ પુનરાવર્તન પર પસંદગી ઉતારી
કોંગ્રેસ ફરી એક વખત લોકોનાં દિલ જીતવામાં સાવ નિષ્ફળ રહી
ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં સતત ચોથી ટર્મ માટે વિજયની વરમાળા પહેરવા થનગનતા ભાજપને ભારે ઉત્તેજના બાદ પુનઃ સત્તાસુખનો લહાવો મળે તેવું એકંદર ચિત્ર આજની મતગણતરીના પ્રારંભના ટ્રેન્ડના આધારે ઉપસ્યું છે. જોકે ભાજપને નો-રિપિટ થિયરી, સમસ્યાઓથી ત્રસ્ત મતદારોની નારાજગી, મોંઘવારી વગેરે અનેક પ્રતિકૂળ પ્રવાહની વચ્ચે હિન્દુત્વ તરફી ધ્રુવીકરણ ફળ્યું હોય તેમ પરિણામના પ્રારંભિક ટ્રેન્ડના આધારે લાગે છે. 'જયશ્રીરામ'નો લીધેલો સહારો ભાજપને અમદાવાદનો ઇડરિયો ગઢ જીતાડશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસને તેનો આંતરિક વિખવાદ ફરીથી નડી ગયો છે. જોકે 'આપ' અને ઓવૈસીની પાર્ટી 'મિમ' પ્રથમ વાર ચૂંટણી લડતાં હોવા છતાં અમદાવાદીઓના મિજાજને જોતાં મ્યુનિ. કોર્પોરેશનમાં ખાતું ખોલાવે તેવી પણ શક્યતા છે. અલબત્ત કોરોના મહામારીના કારણે ચૂંટણીપંચ દ્વારા મતગણતરી માટે ઊભી કરાયેલી નવી વ્યવસ્થાના આધારે જે તે બેઠકની હાર જીતનો સ્પષ્ટ ચિતાર મેળવવામાં મોડી સાંજ પડશે.
21 ફેબ્રુઆરીના મતદાનની પહેલાં જ નારણપુરાની એક બેઠક પર ભાજપે બિનહરીફ થતાં જીત મેળવી હતી. બ્રિન્દા સુરતીએ ભાજપ માટે શુભ શરૂઆત કરાવી હતી. જોકે મતદાનના દિવસે માત્ર ૪૨.૫૩ ટકા મતદાન થતાં ભાજપની છાવણીમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પરંપરાગત હરીફ કોંગ્રેસ ઉપરાંત પહેલી વખત 'આપ'ના ૧૫૫ ઉમેદવાર ચૂંટણી જંગમાં ઊતરતાં મ્યુનિ. ચૂંટણી ત્રિપાંખિયા જંગમાં ફેરવાઈ હતી. ઉપરાંત 'મિમ'ના કારણે કોંગ્રેસની છાવણીમાં પણ ભારે ડર જોવા મળ્યો છે.
પાટીલના ગઢ સુરતમાં આમ આદમી પાર્ટીએ 27થી વધુ બેઠકો પર જીત મેળવી
ગુજરાતમાં આજે 6 મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ આવી રહ્યા છે ત્યારે ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના ઘર આંગણે જ આમ આદમી પાર્ટીએ કાંગરા ખેરવ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં ભાજપની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભવ્ય વિજયને લઈને ઉજવણી કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે, નવી રાજનીતિની શરૂઆત માટે ગુજરાતના લોકોને શુભેચ્છા.
नई राजनीति की शुरुआत करने के लिए गुजरात के लोगों को दिल से बधाई।
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. અને CR Patil પણ આમાં ભાગ લેશે. અને જીતના વધામણાં આપશે એટલું જ નહીં CM Rupani અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભાગ લેશે. ભાજપની તમામ મનપામાં જીત બાદ ખાનપુર ખાતે સાંજે 7 વાગ્યે ઉજવણીનું આયોજન કરાયું છે. ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ Tweet દ્વારા શુભેચ્છા પાઠવી
ગુજરાતની તમામ મનપામાં ભાજપની જીત માટે જનતાનો માન્યો આભાર
સી.આર પાટીલે પણ જીતની શુભેચ્છા પાઠવી
ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે, વિકાસનાં પથ પર સમગ્ર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એ આપ સૌનાં વિશ્વાસ, સાથ અને સહકાર થકી જ શક્ય બન્યું છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ જીતની શુભેચ્છા પાઠવી છે. ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે, વિકાસનાં પથ પર સમગ્ર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એ આપ સૌનાં વિશ્વાસ, સાથ અને સહકાર થકી જ શક્ય બન્યું છે.
'સુરતના પરિણામ મુદ્દે આંકલન કરીશું'
ચૂંટણી પરિણામને લઈને ભાજપ નેતા આઈ.કે. જાડેજાએ કહ્યું હતું કે ગુજરાતના મતદાતાઓએ વિકાસનો સાથ આપ્યો છે અને ખાનપુર જે.પી ચોક ખાતે મુખ્યમંત્રી જાહેર સભા સંબોધશે. તેમણે કહ્યું કે આ અમારા કાર્યકર્તાના પરિશ્રમનું પરિણામ છે અને 6 મનપાના મતદાતા ભાજપ સાથે રહેવા માંગે છે. સુરતના પરિણામો મુદ્દે અમે આંકલન કરીશું.