સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી લેતા જ સુરતના 2 વોર્ડમાં જીત હાંસલ કરી છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીએ કેજરીવાલે પ્રથમ પ્રતિક્રિયા આપી છે.
ગુજરાતમાં AAPની એન્ટ્રી સાથે જ મેળવી 2 બેઠક
CM કેજરીવાલે ટ્વીટ કરીને આપી પ્રતિક્રિયા
કહ્યું- ગુજરાતની જનતાએ AAPની શિક્ષણ અને આરોગ્ય વાળી રાજનીતિ પર લગાવી મહોર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીની શિક્ષણ અને આરોગ્ય વાળી રાજનીતિ પર મહોર લગાવી છે.
ભાજપના ગઢમાં ગાબડું પાડ્યાની કરી વાત
જો કે, ત્યારબાદ કેજરીવાલે આપે જીતેલ વોર્ડનો ઉલ્લેખ કરીને ટ્વીટ કર્યું હતું કે, આમ આદમી પાર્ટીએ વોર્ડ 4 તથા 16માં જીત હાંસલ કરી છે અને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.
AAP breaches BJP's citadel.
Wins 8 seats in Surat as of now.
🔹4 seats of Ward no. 4
🔹4 seats of Ward no. 16
Leading on several other seats all across Gujarat.
સીએમ રૂપાણીના શહેર રાજકોટમાં જ્યાં ભાજપને બમ્પર જીત મળવા જઈ રહી છે ત્યાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના ગઢ ગણાતા સુરતમાં પાર્ટીને આંચકો લાગ્યો છે. સુરતમાં બપોરે દોઢ વાગ્યા સુધીના ટ્રેન્ડ અનુસાર આમ આદમી પાર્ટી 14 બેઠકો પર આગળ હતી અથવા જીત નોંધાવી હતી. ઘણી બધી એવી બેઠકો જ્યાં કોંગ્રેસની જગ્યા પર આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની ગઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીની આ જોરદાર એન્ટ્રી બાદ ભાજપના અમદાવાદ શહેર પ્રભારીનું મોટું નિવેદન આવ્યું હતું.
સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ટ્રેન્ડમાં ટ્વીસ્ટ જોવા મળી રહ્યુ છે. સુરતમાં ભાજપ પહેલા નંબરે તો આમ આદમી પાર્ટી બીજા નંબરે ચાલી રહી છે. સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બન્યો છે. વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટીની પેનલ આગળ છે. સુરતમાં ભાજપ બાદ બીજા સ્થાને આપ પાર્ટી આવી ગઈ છે. લેટેસ્ટ માહિતી જોઈએ તો 18 બેઠકો પર આપ આગળ છે. જ્યારે કોંગ્રેસ માત્ર 6માં જ આગળ છે.
ચૂંટણી પરિણામને લઈને ભાજપ નેતા આઈ. કે. જાડેજાએ કહ્યું હતું કે ગુજરાતના મતદાતાઓએ વિકાસનો સાથ આપ્યો છે અને ખાનપુર જે.પી ચોક ખાતે મુખ્યમંત્રી જાહેર સભા સંબોધશે. તેમણે કહ્યું કે આ અમારા કાર્યકર્તાના પરિશ્રમનું પરિણામ છે અને 6 મનપાના મતદાતા ભાજપ સાથે રહેવા માંગે છે. સુરતના પરિણામો મુદ્દે અમે આંકલન કરીશું.
સુરતના 484 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો
સુરત મનપાની ચૂંટણીમાં 484 ઉમેદવારો લડ્યા ચૂંટણી હતા. જેમાં ભાજપના 120, કોંગ્રેસના 117 અને AAPના 114 ઉમેદવારો મેદાનમાં છે. કોરોનાને લઇ માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઇ. ઉમેદવાર, ચૂંટણી એજન્ટ અને મત ગણતરી એજન્ટને પ્રવેશ અપાશે. મહત્વનું છે કે, ગત 2015ની ચૂંટણીમાં 29 વોર્ડની 116 બેઠકની ચૂંટણી થઇ હતી. 2015માં ભાજપે 80 અને કોંગ્રેસે 36 બેઠકો મેળવી હતી.