બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:47 PM, 13 February 2025
રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ તા.16-02-2025ના રોજ યોજવા તા.21-01-૨૦૨૫ના રોજ કાર્યક્રમ જાહેર કરેલ છે. તા.01-02-2025 સુધી સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે. કુલ 213 બેઠકો બિનહરીફ થયેલ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ ૫૦૮૪ ઉમેદવારો હરિફાઇમાં છે.
ADVERTISEMENT
બોટાદ-વાંકાનેર નગરપાલિકાઓના 18 વોર્ડ પૈકી 4 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકો પૈકી વોર્ડ નં.3 તથા 14 (કુલ 8 બેઠકો) સંપૂર્ણ બિનહરીફ થયેલ છે બાકીના વોર્ડોની પર( બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ 157 ઉમેદવારો હરીફાઇમાં રહેલ છે. અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7 (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 17 ઉમેદવારો હરીફાઇમાં છે. સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 1677 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો હરિફાઇમાં છે. મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના 18 વોર્ડ પૈકી 4 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 49 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે 101 ઉમેદવારો હરિફાઇમાં છે.
ADVERTISEMENT
આ બેઠકો માટે 190 ઉમેદવારો હરિફાઇમાં છે
નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની 21 બેઠકો પૈકી 2 બેઠકો (મોરબી જિલ્લાની માળિયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.2 તથા 5ની બેઠક) બિનહરીફ થયેલ છે. 19 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 45 ઉમેદવારો હરિફાઇમાં છે. જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 9 બેઠકો પૈકી 1 બેઠક (પંચમહાલ જિલ્લાની 29-શિવરાજપુર) બિનહરીફ થયેલ છે. 8 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે 22 ઉમેદવારો હરિફાઇમાં છે. ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના 78 મતદાર મંડળો માટે 178 ઉમેદવારો હરિફાઇમાં છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 91 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ થયેલ છે. હારીજ તાલુકા પંચાયતની 12-સાંકરા, બગસરા તાલુકા પંચાયતની 16-વાઘણીયાજુના પર ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેમજ બાબરા તાલુકા પંચાયતની 10-કરીયાણા બેઠક પર એક ઉમેદવારી પત્ર રજૂ થયેલ જે રદ થયેલ હોય ચૂંટણી યોજવાની થતી નથી. આ સિવાયની પેટા ચૂંટણી હેઠળની 76 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે 190 ઉમેદવારો હરિફાઇમાં છે.
ચૂંટણી હેઠળની સંસ્થાઓની આંકડાકીય વિગતો આ સાથે સામેલ પત્રકમાં દર્શાવવામાં આવેલ છે. તા.16-02-2025ના રોજ સવારે 7. કલાકથી 6.00 કલાક સુધી મતદાન યોજાનાર છે. નિયામક,નશાબંધી અને આબકારીની કચેરીના તા.06-02-2025ના પત્રથી રાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનનો સમય પૂરા થવાના કલાક સાથે પૂરા થાય તે રીતે 48 કલાકનો સમય એટલે તારીખ 14-02-2025ના સાંજના 5.00 કલાકથી તા.16-02-2025 સાંજના 7.00 કલાક( જો પુનઃ મતદાન થાય તો તે સાહિત) તેમજ મતગણતરીનો દિવસ એટલે કે તા.18-02-2025 (આખો દિવસ) મતદારો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે “ડ્રાય ડે” જાહેર કરી દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગના તા.17-11-2021ના આદેશ ક્રમાંક: રાચપ-ચટણ-સીઓસી-સ્થા.સ્વ.-138 (1)-112021-ક થી આપેલ સૂચના મુજબ મતદાન બંધ કરવા માટે નિયત કરેલ કલાક સહિત પુરા થતા 48 કલાકના સમયગાળા દરમ્યાન જાહેર સભા બોલાવવા, ભરવા તથા હાજર રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ પણ વાંચો: VIDEO: ગુજરાતીઓ ગરમી માટે તૈયાર રહેજો, મહાકુંભમાં આગથી અફરાતફરી, એક ક્લિકમાં જુઓ મોટા સમાચાર
શ્રમ આયુક્તની કચેરી, ગુજરાત રાજ્યના તા.29-01-2025ના પરિપત્રથી ચૂંટણી હેઠળના વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન ઓફ સર્વિસ) એક્ટ 2019 હેઠળ મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઇ પણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતી હોય અને અઠવાડિક રજા ચૂંટણીના દિવસ તા.16-02-2025ના રોજ ન આવતી હોય તેવા કર્મચારી/ કામદાર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/ કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/ બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા સંબંધિતોને જણાવેલ છે. (કર્મચારી/ કામદારની ગેરહાજરીના કારણે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય અથવા ગેરહાજરી વ્યાપક નુકશાનમાં પરિણમે તેમ હોય એવા કોઇ મતદારને આ બાબત લાગુ પડશે નહી). સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી હેઠળની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ સંપૂર્ણપણે ન્યાયી, મુક્ત રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવી નેમ વ્યક્ત કરતા રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યના મતદારોને અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરે છે. રાજ્ય ચૂંટણી આયોગ તથા જિલ્લાના વહીવટી તંત્રે સામાન્ય/મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માં મતદારો પોતાની પસંદગી મુજબ મતદાન કરી શકે તે માટે તથા શાંતિપૂર્વક, એખલાસભર્યા વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તથા પોલીસ તંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે ત્યારે આ લોકતાંત્રિક પર્વનાં અભિયાનમાં રાજકીય પક્ષો આગેવાનો, ઉમેદવારો, મતદારો તથા જનતા સહયોગ આપશે તેવી રાજ્ય ચૂંટણી આયોગ શ્રધ્ધા વ્યકત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.