સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકોટમાં ભાજપે ચૂંટણીઢંઢોરો જાહેર કર્યો છે.
રાજકોટમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
શહેરમાં નવુ ઈન્ડોર સ્ટેડિયમ બનશે: ભાજપ
રાજકોટમાં વધુ બગીચા બનાવીશુઃ ભાજપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકોટ શહેર ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો છે.
શું શું કરી જાહેરાત
શહેરમાં નવુ ઈન્ડોર સ્ટેડિયમ બનશે. રાજકોટમાં વધુ બગીચા બનાવશુ. શહેરમાં અલગ-અલગ સ્થળે 5 અંડરબ્રિજ બનશે. દરેક આરોગ્યૉકેન્દ્રનુ આધુનિકીકરણ કરાશે. શહેરમાં 5 મુખ્ય બજારોમાં ઓટોમેટિક વોટર મશીન મુકાશે. મોટા મવામાં સ્વિમિંગપુલ, લાયબ્રેરી, રસ્તા, લાઈટની સુવિધા અપાશે. ઈન્ટરનેટ વાઇફાઇ વધુ જગ્યાએ ફ્રી આપીશુ. 5 વર્ષ માં 24 કલાક પાણી મળે તે માટે કામ કરીશું. ટ્રાફિક સમસ્યા દૂર કરવા ની કામગીરી કરીશું. ફેરિયા , રેંકડી ધારકો માટે ઝોન બનાવીશું. ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટ માટે પ્રવૃત્તિઓ કરીશુ, શહેરમાં નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવીશું.
રાજકોટની હદમાં વધારો થયા પછી 18 વોર્ડ યથાવત રાખવામાં આવ્યા છે. રાજકોટમાં મોટા મવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર એમ પાંચ ગામનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 72 કોર્પોરેટરો ચૂંટવાના રહેશે. જેમાં 36 બેઠકો મહિલા અનામત છે. કુલ 72 બેઠકો પૈકી 5 બેઠકો અનુસૂચિત જાતિ અનામત રહેશે. તે પાંચ પૈકી 3 મહિલા અનુસૂચિત જાતિ માટે રહેશે. 7 બેઠકો બક્ષીપંચ માટે અનામત રહેશે. આ 7માં 7 બેઠકો બક્ષીપંચ મહિલા માટે અનામત રહેશે. 1 બેઠક આદિજાતિ મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત રહેશે.
મતગણતરી 2 માર્ચના રોજ
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.
23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી
જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.