કોંગ્રેસ મજબૂત હોત તો હૈદરાબાદથી મારે અહી ન આવવું પડ્યું હોત
કોંગ્રેસ RSS અને મોદીથી ડરે છે
અમદાવાદમાં AIMIMની જનસભાનું આયોજન કરાયું. જેમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ ગુજરાતમાં ધર્મની રાજનીતિ કરતા 2002ની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે હું 2002માં ગુજરાત આવ્યો હતો. આ રાજકીય સફર એક ચૂંટણી પુરતી નથી. AIMIM ગુજરાતમાં કાયમ સક્રિય રહેશે. કોઇ ભેદ વિના મજબૂર લોકો માટે AIMIM કામ કરશે. કોંગ્રેસ RSSઅને મોદીથી ડરે છે.
અશાંત ધારો બંધારણ વિરુદ્વ છે
કોંગ્રેસ મજબૂત હોત તો હૈદરાબાદથી મારે અહીં ન આવવું પડ્યું હોત. મને ગમે તેટલી ગાળો આપો પણ મારી પ્રગતિ રોકી શકો નહીં. કોંગ્રેસ હાર્યા બાદ અમારા પર આક્ષેપ લગાવે છે. તેમજ આ અશાંત ધારો બંધારણ વિરુદ્વ છે તેમ જણાવ્યુ હતું. મુસ્લીમ અને દલિત વિસ્તારમાં પાણી પણ આવતું નથી. ગુજરાતમાં માત્ર ૨૬ ટકા મુસ્લિમો મેટ્રિક કરે છે. ખેડૂતો અઢી મહિનાથી આંદોલન કરી રહ્યા છે. અમે ખેડૂતોની સાથે છીએ. કૃષિ કાયદા રાજ્ય સરકાર હસ્તક હોય છે. ત્રણેય કાયદાઓ બંધારણ વિરુદ્વ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અપડેટ
કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા
મતગણતરી 2 માર્ચના રોજ
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.
23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી
જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.