AAP પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ ગુજરાત મુલાકાતે આવ્યાં છે.
AAP પાર્ટીના નેતા સંજયસિંહ ગુજરાતની મુલાકાતે
સુરતમાં બે જનસભાને સંબોધન કરશે
ઉધના વિસ્તારથી સિંગણપોર સર્કલ સુધી રોડ શોનું આયોજન
AAP પાર્ટી નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. ત્યારે VTV સાથે Exclusive મુલાકાતમાં પાર્ટીના પ્રદર્શનને લઇને વાત કરી.
સંજયસિંહે જણાવ્યું કે હાલ સુરત અને અમદાવાદ સહિત રાજ્યના કાર્યકરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકારોના કામકાજને લઇને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારુ પરિણામ જોવા મળી શકે છે.
સંજયસિંહે કહ્યું અમે ઉમેદવારો માટે એક ક્રાઇટએરિયા નક્કી કર્યો છે, આમ અમે ઉમેદવારોની પસંદગીમાં ક્યારેય કોઇપણ બાંધછોડ કરતા નથી.
ઉલ્લેખનીય છે કે આપ પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ આજે સુરતની મુલાકાતે પહોંચશે. જ્યાં તેઓ મનપાની ચૂંટણીને બે જનસભાને સંબોધન કરશે. આ સાથે ઉધના વિસ્તારથી સીંગણપોર સર્કલ સુધી રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આપ પાર્ટી નેતા મનીષ સિસોદીયા ગુજરાત પ્રવાસે
આપ પાર્ટીના નેતા અને દિલ્હીના DY CM મનીષ સિસોદીયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે ગુજરાત પ્રવાસે આવશે. મનીષ સિસોદીયા અમદાવાદમાં રોડ શો કરશે. ત્યાર બાદ હોટલ હયાતમાં પત્રકાર પરિષદ યોજશે.