હાલ ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય બંને પક્ષ કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારોને લઇને ગડમથલ જોવા મળી રહી છે.
કોંગ્રેસ માટે વડોદરા મનપાની ચૂંટણીમાં 56 બેઠકનો લઇને હજી પણ અસમંજસભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગઇકાલે મોડી રાત્ર સુધી ચર્ચા માટે બેઠક મળી હોવાના સૂત્રોના હવાલેથી અહેવાલ પ્રાપ્ત થયા છે. આમ આ બાકી રહેલી બેઠકોના નામ આજે જાહેર થાય તેવી શક્યતા છે.
વડોદરામાં હાલ ચિરાગ ઝવેરી, અમી રાવત, હેમાંગીની કોલેકર, અતુલ પટેલને ટિકિટ મળશે કે કપાશે તેને લઇને એક સવાલ જોવા મળી રહ્યો છે. ચિરાગ ઝવેરી ભાજપમાં જવાના છે તે વાતને લઇને નામ જાહેર થયું નથી તેવી અટકળો સામે આવી રહી છે. આમ આ 4 નેતાઓના નામને લઇને ડખો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે વડોદરાની મનપાની બાકી બેઠકોને લઇને ચિરાગ ઝવેરીની રાજકીય કારકિર્દી દાવ પર લાગી હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે. ભાજપમાં જોડાવાની ચર્ચાના કારણે કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ સાથે અમી રાવતનું નામ પણ હજુ સુધી જાહેર થયું નથી.
આમ વડદોરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને હજુ પણ બાકી રહેલા ઉમેદવારની પસંદગીને લઇને ભાજપ-કોંગ્રેસમાં અસમંજસ ભરેલી સ્થિતિ જોવા મળી રહી છે.