કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાતના ભણકારા જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા મતદાતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઇને અમદાવાદના મોડાસર ગામે રાજીવ સાતવ અને અમિત ચાવડા ટ્રેકટર રેલીમાં જોડાયાં.
કોંગ્રેસે શરૂ કર્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર
રાજીવ સાતવ અને અમિત ચાવડા ટ્રેક્ટર રેલીમાં જોડાયા
અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવી ખેડૂત આંદોલનને કર્યું સમર્થન
કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ની યૂંટણીને લઇનો કોંગ્રેસ-ભાજપે કવાયત શરુ કરી દીધી છે. જેમાં કોંગ્રેસ દ્વારા આજથી મહાજનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દિગ્ગજ નેતાઓ રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં જનસંપર્ક કરશે.
જેને લઇને રાજ્યના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદના મોડાસર ગામે પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ દ્વારા ટ્રેકટર રેલી નીકાળવાનું આયોજન કરવામાં આવ્યું. આ ટ્રેકટર રેલીમાં રાજીવ સાતવ અને અમિત ચાવડા જોડાયાં.
આ અગાઉ મોડાસર ગામના લોકોએ કોંગ્રેસ નેતાઓનું સ્વાગત કર્યું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેકટર ચલાવી ખેડૂત આંદોલનને સમર્થન કર્યું. ખેડૂતો સાથે કોંગ્રેસ નેતાઓએ ખાટલા બેઠક કરી.
આ અગાઉ રાજીવ સાતવ અને અમિત ચાવડા મટોડા ગામ પહોંચ્યા હતા. જ્યાં ગ્રામવાસીઓએ આ દિગ્ગજ નેતાઓનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું. કોંગ્રેસના બંને નેતાઓએ ભાજપના સી.આર. પાટીલ પર આકરા પ્રહાર કર્યાં. કોંગ્રેસની જીતનો બંને નેતાઓએ જીતનો દાવો કર્યો.
આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને કોંગ્રેસ પ્રચાર શરુ કર્યો. જેમાં અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા પહોંચેલા જોવા મળ્યાં. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બેઠક અને વોર્ડ દીઠ જનસંપર્ક અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને મનપા વોર્ડ દીઠ અભિયાન હાથ ધરવામાં આવશે.
આ અગાઉ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને હેલ્લો અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.
હેલ્લો અભિયાનને લઇને અમિત ચાવડાએ નિવેદન આપતાં કહ્યું કે કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ કરશે. હેલ્લો અભિયાનને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો. જ્યારે આજથી કોંગ્રેસના 270 નેતાઓ રાજ્યના લોકો વચ્ચે જશે. 28 જાન્યુઆરીથી સુધી લોકોના પ્રશ્નો ઉજાગરા કરીશું.
મહાજનસંપર્ક અભિયાન હેઠળ કોંગ્રેસ નગરાપિલાકના 684 વોર્ડમાં બેઠક કરશે. તાલુકા પંચાયતોમાં 4700 બેઠકો કરશે. રાજ્યના 17 હજાર ગામડાનો સંપર્ક કરીશું. લોકોના પ્રશ્નોને સરકાર સાંભળતી નથી ત્યારે શહેર સહિત ગામડાના લોકોમાં સરકાર સામે અસંતોષ છે.