ગુજરાતમાં જ્યાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભણકારા વાગી રહ્યાં છે ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મોટું નિવેદન આપ્યું છે. રાજીવ સાતવે કહ્યું કે આ ચૂંટણીમાં 50 ટકા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવનું મોટું નિવેદન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા નવા ચહેરાઓને તક અપાશે
યુથ કોંગ્રેસ-NSUIના કાર્યકરોને પ્રાધાન્ય આપીશું
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આ સાથે રાજીવ સાતવ સતત બેઠકો અને વ્યૂહરચના ઘડી રહ્યાં છે. ત્યારે રાજીવ સાતવે VTV સાથે વાતચીત કરતા જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.
રાજીવ સાતવે કહ્યું કે યુથ કોંગ્રેસ-NSUIના કાર્યકરોને પ્રાધાન્ય આપીશું. ગુજરાતથી નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની રાજનીતિ શરૂ કરાઇ છે. તેમને કહ્યું કે 2022 સુધી હું જ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રહીશ.
કોંગ્રેસ પ્રદેશ પ્રભારીએ જણાવ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ હશે. બુથ સ્તર પર વધારે ફોકસ કરી બેઠક મજબૂત બનાવી રહ્યાં છીએ. કોંગ્રેસે એક થઈ નવા ઉત્સાહ સાથે કામ શરૂ કર્યું છે.
રાજીવ સાતવે કહ્યું કેગુજરાતના નાગરિકો ભાજપ સરકારથી ત્રસ્ત છે. ગુજરાતમાં ખેડૂતોને પાક વીમો અને યોગ્ય ભાવ ના મળ્યા. ગુજરાતના મતદાતાઓ વિચારીને મતદાન કરે છે. ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય કોઈ પક્ષને મતદાતાઓ નહીં સ્વીકારે.