ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક તરફ ભણકારા વાગી રહ્યાં છે. રાજ્ય ચૂ્ંટણી પંચ દ્વારા કોઇપણ સમયે તારીખ જાહેર થઇ શકે તેવી શક્યતા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો સક્રિય
CM રૂપાણી આજે સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની મુલાકાત લેશે
વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
રાજ્યના મુખ્યમંત્રી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની મુલાકાત લેશે. સીએમ રુપાણી જૂનાગઢ, ગીર સોમનાથ દ્વારકા તેમજ સાંજે પોતાના હોમ ટાઉન રાજકોટ પરત આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને હાલ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષો સક્રિય જોવા મળી રહ્યાં. બંને પક્ષોના દિગ્ગજ નેતાઓ હાલ જનતાની વચ્ચે જઇને કાર્યક્રમો કરી રહ્યાં છે.
ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.
જેમાં મુખ્યમંત્રી જૂનાગઢ ખાતે પ્રવાસન વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત કરશે તો કેશોદમાં રેશનકાર્ડ ધારકો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સંવાદ કરશે.
ગીર-સોમનાના ઉનામાં CM રુપાણી નવા બંદર ખાતે જેટીનું ખાતમુહૂર્ત કરશે. જ્યારે દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે 200 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ સાથે સાંજે પોતાના હોમ ટાઉન રાજકોટ પરત ફરશે. જ્યાં મુખ્યમંત્રી રુપાણી પંચનાથ ટ્રસ્ટની હોસ્પિટલનું લોકાર્પણ કરશે.