ગુજરાતમાં હાલ કોરોનાકાળ દરમિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ફરી ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ
આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે જે.પી.નડ્ડા
ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ પણ આવશે
ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે હજુ સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તારીખો જાહેર કરવામાં આવી નથી. ત્યારે ઉમેદવારોના નામ પર સમીક્ષા સહિત આગેવાનો સાથે બેઠક સાથે સમીક્ષા કરવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચશે. તેમની સાથે ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ પણ આવશે. બંને રાષ્ટ્રીય નેતાઓનું સ્વાગત પ્રદેશ ભાજપના અગ્રણીઓ કરશે.
અમદાવાદમાં એક તરફ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને લઇને RSS સુપ્રીમો મોહન ભાગવત પણ અમદાવાદમાં છે. ત્યારે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ભાજપ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા બે દિવસની મુલાકાતમાં કમલમ ખાતે પ્રદેશ આગેવાન સહિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે ચર્ચા કરશે.
ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ રાજ્યના મુખ્યમંત્રી વિજ ય રુપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ બેઠકમાં જોડાશે.
કોંગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી
જ્યારે બીજી તરફ કોંગ્રસ પક્ષ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સક્રિય જોવા મળી રહ્યું છે. આજે કોંગ્રેસના સહ પ્રભારી જીતેન્દ્ર બધેલ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરશે. આ સાથે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોને ચૂંટણી મુદ્દે માર્ગદર્શન આપશે.
અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે દિવસભર બેઠકોનો દોર જોવા મળશે. પક્ષના સહપ્રભારી જીતેન્દ્ર બધેલ ઉમેદવારોના નામ અંગે માર્ગદર્શન આપશે. આ સાથે ભાજપના પૂરા ન કરાયેલા વચનોને ચૂંટણીનો મુદ્દો પણ બનાવા અંગે રણનીતિ તૈયાર કરાવાશે.
આ સાથે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને AIMIMની સક્રિયતાને લઇને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
જ્યારે એક તરફ સરસંઘચાલક મોહન ભાગવત પણ અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. RSS સુપ્રીમો અખિલ ભારતીય સંઘની કાર્યકારી બેઠકમાં ભાગ લેવા ગુજરાતમાં છે. દેશભરમાંથી સંઘના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે. દેશના આર્થિક, સામાજિક મુદ્દાઓ પરના ઠરાવો પર ચર્ચા કરશે.