હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર થતાં કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. વોર્ડ 17માં સીટીંગ કોર્પોરેટર ધીરુ લાઠીયાના નામનો વિરોધ કર્યો. યોગી ચોકમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યાં.
કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ધીરુ લાઠીયાના જનસંપર્ક કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર કર્યાં. તેમના સ્થાને ઉમેદવાર બદલવા માંગણીને લઇને સૂત્રોચ્ચાર કર્યાં. કોંગ્રેસ દ્વારા સુરત મનપાના 19 વોર્ડના 52 ઉમેદવારો જાહેર કર્યાં છે.
અમદાવાદ મનપાના ઉમેદવારોનું ગૂંચવાયું કોકડું
કોંગ્રેસ દ્વારા મનપાની યાદી જાહેર કરાયા બાદ પક્ષમાં કકળાટ જોવા મળી રહ્યો છે. શહેર મનપાના ઉમેદવારોનું કોકડૂં ગૂંચવાયું છે. લાખા ભરવાડે અગાઉ હારી ચૂકેલા પુત્ર માટે ટિકિટની જીદ કરી. ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડવાલા, શૈલેષ પરમા જીદે ચડ્યાં.
ગ્યાસુદ્દીન શેખે જનરલ બેઠક પર બક્ષીપંચ ઉમેદવાર માટે ટિકિટ માંગી છે. શહેર પ્રમુખ શશીકાંત પટેલે પોતાના ઉમેદવારો માટે ટિકિટ માગી છે. પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ પોતાના માણસો માટે ટિકિટ માગી છે.
શૈલેષ પરમાર અને હિંમતસિંહ પોતાના માણસો માટે ટિકિટ માંગે છે. ઈમરાન ખેડાવાલા પોતે ચૂંટણી લડવા જીદ કરી રહ્યાં છે. જમાલપુર અને ખાડીયામાં પોતાના માણસો માટે ટિકિટની માગણી કરી રહ્યાં છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને દિનેશ શર્મા અને હિંમતસિંહ પટેલ ફરી એક વખત આમને-સામને જોવા મળ્યાં છે.
કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે 5 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગરના ઉમેદવારોના નામ કરી દેવાયા છે. સુરતના 19 વોર્ડના 52 ઉમેદવારો જાહેર કરાયા છે. તો રાજકોટના 14 વોર્ડના 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે વડોદરાના 11 વોર્ડના 20 ઉમેદવાર જાહેર થયા છે. ભાવનગરમાં 10 વોર્ડના 21 ઉમેદવાર કર્યા છે. જામનગરના 7 વોર્ડના 27 ઉમેદવાર જાહેર છે. તો જામનગરમાં વોર્ડ નં 6માં એક ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.