માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ વડોદરા સહિત રાજ્યભરમાં ભાજપે 6 મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં આશાસ્પદ ઉમેદવારોના પત્તા કપાતા કાર્યકરોમાં રોષ અને નારાજગી જોવા મળી રહ્યાં છે.
90 કાર્યેકરોએ આપ્યા રાજીનામાં
છેલ્લી 4 ટર્મથી ધક્કા ખવડાવે છે
વડોદરા વોર્ડ નંબર 18માં ભાજપમાં ભડકો
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-5માંથી ટિકિટ ન મળતાં મહિલા કાર્યકર ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં અને પક્ષના નેતાઓ સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપનાં કાર્યકર મીનાબેન રાણાએ જણાવ્યું હતું કે હું પક્ષથી નારાજ છું. આ પહેલાં પણ મારી સાથે આવું જ કર્યું હતું. હું 35 વર્ષથી પક્ષમાં છું, મને કશું જ આપ્યું નથી. પાર્ટીમાં માત્ર રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું જ ચાલે છે.
છેલ્લી 4 ટર્મથી ધક્કા ખવડાવે છે
વડોદરા શહેરના વોર્ડ-5માંથી દાવેદારી નોંધાવનાર મહિલા કાર્યકર મીનાબેન રાણાનું ફરી એક વખત પત્તું કપાઈ ગયું હતું, જેથી તેઓ વડોદરાના સયાજીગંજ ભાજપ કાર્યાલય ખાતે ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીએ મારી કિંમત કરી નથી. છેલ્લી 4 ટર્મથી એટલે કે 20 વર્ષથી અમને ધક્કા ખવડાવે છે. અમે પાર્ટી માટે ઘસાઈ ગયાં છીએ, પણ ટિકિટ ન મળી. હું સવારથી અહીં બેસી રહી છું, પણ ટિકિટ ન મળી.
વડોદરા વોર્ડ નંબર 18માં ભાજપમાં ભડકો
વડોદરા વોર્ડ નંબર 18માં ભાજપમાં ભડકો થયો હતો. આયાતી મહિલાઓને ટિકિટ અપાતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. પ્રાથમિક સભ્ય ન હોવા છતા ટિકિટ આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. કાર્યકરોએ કહ્યું અમારી મહેનતને નજરઅંદાજ કરવામાં આવે છે
90 કાર્યેકરોએ આપ્યા રાજીનામાં
કાલે મોડી રાત્રે જ ભાજપના 90 કાર્યકરોએ રાજીનામાં આપી દીધાં હતાં અને આજે વિવિધ વોર્ડમાંથી અનેક ભાજપના કાર્યકરોનાં રાજીનામાં પડે તેવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. ભાજપ દ્વારા આપવામાં આવેલી ટિકિટોને પગલે જે નારાજગી જોવા મળી રહી છે એ જોતાં લાગી રહ્યું છે કે ભાજપ માટે મિશન-76 પાર કરવું મુશ્કેલ જણાઇ રહ્યું છે.
ભાજપમાં ટિકિટ જાહેર થતા અસંતોષનો મામલો બિચક્યો હોય તેવું લાગી રહ્યું છે. ખાનપુર કાર્યાલયે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પહોંચ્યા હતા અને કાર્યકરોની નારાજગી દૂર કરવા પ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતુ.
શું કહ્યું પ્રદિપસિંહે?
ભાજપે કોઇ બુટલેગરને ટિકિટ નથી આપી. કાર્યકરોની લાગણી હતી રોષ કે વિરોધ નથી. કાર્યકરોને સાંભળવામાં આવ્યા, તેઓ સંતુષ્ટ છે. કાર્યકરોએ ફરી કામે લગાવા હુંકાર કર્યો છs. 175 બેઠકના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યાં છીએ.
ભાજપમાં ઉમેદવારને લઇ વધુ એક વોર્ડમાં નારાજગી
ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. બુટલેગરના પત્ની નીતા પરમારને ટિકિટ આપતા વિરોધ થઈ રહ્યો છે. પક્ષ હવે કાર્યકર નહિ બુટલેગર છાવરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
MLA વલ્લભ કાકડીયાનો પણ ઇન્ડિયા કોલોની વોર્ડના કાર્યકરોએ કર્યો
શું છે વિખવાદ
ભાજપમાં અસંતોષની લાગણીને ડામવા પ્રયાસ કરાઈ રહ્યા છે. નવા ઉમેદવારોને ટિકિટ ફાળવાતા આંતરિક વિખવાદ સામે આવ્યો છે. પ્રદીપસિંહ જાડેજાની મુલાકાતને લઇ ઘણા તર્ક વિતર્ક થી રહ્યા છે.
લઘુમતી સમુદાયના લોકોમાં નારાજગી
અમદાવાદ ભાજપના લઘુમતી સમુદાયના લોકોમાં નારાજગી જોવા મળી છે. લઘુમતી સમુદાયના લોકોએ ખાનપુર કાર્યાલય પહોંચી વિરોધ કર્યો. તેઓએ કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસની વાત બાદ લઘુમતી સમુદાયના લોકો સાથે કેમ અન્યાય કરાયો?. જુહાપુરા, ગોમતીપુર, મકતમપુર સહિતના વિસ્તારમાં નારજગી જોવા મળી છે. લઘુમતી સમુદાયના કાર્યકરોએ કાર્યાલયના અગ્રણીઓને આવેદન આપ્યું છે.
192 ઉમેદવારનાં નામ જાહેર થઇ ગયાં
અમદાવાદમાં ભાજપ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના 192 ઉમેદવારનાં નામ જાહેર થઇ ગયાં છે. ત્યારે અમદાવાદ ભાજપ ખાનપુર કાર્યાલયે કેટલાક વિસ્તારના કાર્યકર્તાઓ અહીં આવીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભાજપના પદાધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, જેને લઈને ક્યાંય ને ક્યાંય એવું પણ લાગી રહ્યું છે કે કેટલાક કાર્યકતાઓ રાજીનામું આપીને બીજી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે.