કોંગ્રેસમાં પાટીદારોની નારાજગી વહોરવામાં આવી છે તો બીજી તરફ પક્ષના જ ધારાસભ્યો રાજીનામાની ચીમકી આપી રહ્યા છે આવો જાણીએ કોંગ્રેસ રાજકોટ, સુરત અને અમદાવાદમાં ક્યાં ક્યા આગ લાગી છે.
સુરત પાટીદાર આગેવાનો નારાજ
અમદાવાદમાં ધારાસભ્યની રાજીનામાની ચીમકી
રાજકોટમાં આગેવાનોના રાજીનામા
કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભડકો જોવા મળી રહ્યો છે. એક પછી એક લોકો નારાજ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ સુરત અને રાજકોટ સહિત અમદાવાદમાં પણ ધારાસભ્યો રાજીનામાની ચીમકી આપી રહ્યા છે.
અમદાવાદમાં ધારાસભ્યની રાજીનામાની ચીમકી
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે. ઉમેદવારની પસંદગીના મુદ્દે વિવાદ થતા રાજીનામાની ચીમકી આપી દીધી છે. બહેરામપુરા વોર્ડમાં ઉમેદવાર પસંદગીને લઈને નારાજગી દર્શાવવામાં આવી રહી છે. અમિત ચાવડાએ ખેડાવાલાને આશ્વાસન આપ્યુ હતુ. કોંગ્રેસે બહેરામપુરામાં 6 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા. ઈમરાન ખેડાવાલાની પસંદગી મુજબના ઉમેદવારોને ટિકિટ અપાઈ નહતી જેને પગલે અમિત ચાવડાએ મુદ્દાનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે.
અલ્પેશની ટિકિટ મુદ્દે અર્જુન મોઢવાડિયાનુ નિવેદન
અલ્પેશ કથિરિયા દ્વારા કોંગ્રેસની ટિકિટ માંગવાનો મામલે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે, અલ્પેશ કથિરિયાની માંગણી યોગ્ય હતી. ફરીથી આવી ગેરસમજ નહી થયા તેની ખાતરી આપુ છું.
અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, પાસના મિત્રો સાથે થોડી ગેરસમજ થઇ. પાસના યુવાનો સાથે ચર્ચા કરીશું. ભવિષ્યમાં આવી ઘટના નહિ બને તે માટે પ્રયાસ કરીશું. આ બાબતે ગેરસમજ દૂર કરીશું. મોટું મન રાખી ગેરસમજ દૂર કરીશું.
અલ્પેશ કથિરિયાની કોંગ્રેસ સામે નારાજગીનો મામલો
પાર્ટીનાઆ વલણથી કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો નારાજ હોવાનું સૂત્રો દ્વારા જણાવ્યુ હતુ. કે, અલ્પેશની માંગને લઈને પાટીદાર MLAએ પ્રદેશના નેતાઓનો સંપર્ક કર્યા હતો અને પાટીદાર ધારાસભ્યો અલ્પેશ કથિરિયાના સમર્થનમાં આવ્યા હતા. પાટીદાર MLAના ફોન અમિત ચાવડા અને સાતવે ન ઉપાડ્યા અને સુરત PAAS કોંગ્રેસનો વિરોધ ટીમ કરી રહી છે. સુરત PAAS ટીમે કોંગ્રેસ પાસે 2 ટિકિટ માંગી હતી. કોંગ્રેસે ફક્ત એક જ ટિકિટ આપતા વિવાદ થયો હતો.
શું કહે છે અલ્પેશ કથીરિયા
સુરતમાં કોંગ્રેસ-PAAS વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અલ્પેશ કથીરિયાએ VTV સાથે વાત કરી. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ધાર્મિકને અભિનંદન એને ફોર્મ ન ભર્યુ. અને કોંગ્રેસના પાટીદાર ઉમેદવારોને પણ અભિનંદન. હું તો એવું ઇચ્છું છું કે તમામ લોકો ચૂંટણી લડે. ચૂંટણી લડવાનો અધિકાર તમામને છે. ચૂંટણી લડે તો જ તેમની તાકાતનો અંદાજો આવશે. હમણઆ કંઇ પણ કહેવું જલ્દી હશે.
શું છે મામલો?
સુરતમાં ધાર્મિક માલવીયા દ્વારા ઉમેદવારી પરત ખેંચવા મામલે પાટીદાર ઉમેદવાર નિલેશ કુંભાણીએ દાવો કર્યો છે કે સુરતમાં એકપણ પાટીદાર ઉમેદવાર કોંગ્રેસમાંથી ફોર્મ પરત નહીં ખેંચે. પાસે 12 પાટીદાર ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાનો દાવો કર્યો છે. અને બે દિવસ પહેલા પાસની મીટિંગ યોજાઇ હતી. જેમાં ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા કહેવાયું હતું. જો કે નિલેશ કુંભાણીએ કહ્યું કે એકપણ ઉમેદવાર ફોર્મ પરત નહીં ખેંચે. 30થી વધુ પાટીદાર ઉમેદવારને ટિકિટ અપાઇ છે. પાટીદાર સમાજને ફાયદો થાય તો જ ફોર્મ પરત ખેંચાશે. ભાજપને ફાયદો થાય તે માટે ફોર્મ પરત નહીં ખેંચાય.
રાજકોટમાં કોંગ્રેસને વધુ એક ફટકો
રાજકોટ જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખે રાજીનામું આપ્યું છે. જિલ્લા પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ચકચાર મચી ગઈ હતી. હેમેન્દ્રસિંહ જાડેજાએ અવગણનાને કારણે રાજીનામુ આપ્યુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતુ.