ગઇકાલે યોજાયેલી રાજ્યની 6 મહાનગરપાલિકાનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, મતગણતરી એક જ દિવસે કરવામાં આવે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર
મતગણતરીને લઈ સુપ્રીમ કોર્ટનો ફેંસલો
અલગ અલગ તારીખે જ થશે મતગણતરી
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અલગ અલગ મતગણતરીની તારીખોને લઈને હાઈકોર્ચમાં અને સુપ્રીમમાં અરજી કરાઈ હતી.જેમાં હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યુ છે કે, મતગણતરી અલગ અલગ તારીખે જ થશે.
શું કહે છે સુપ્રીમ
હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમકોર્ટે યોગ્ય ઠેરવતા જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે નહીં થાય. નીશ્ચીત તારીખોએ જ મતગણતરી થશે. હવે 23 ફેબ્રુઆરીએ જ થશે 6 મહાપાલિકાની ચૂંટણીના મતની ગણતરી કરવામાં આવશે
ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી અરજી
આ નિર્ણય સામે થયેલી અરજી પર સુનાવણી પૂરી થતાં ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે એક જ દિવસે મતગણતરી કરવાની અરજી ફગાવી દીધી છે. ત્યારે હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવતા મહત્વની ટિપ્પણીઓ કરી હતી. પ્રજાને કમજોર ન સમજવી જોઇએ. એક પરિણામ જાહેર થતા પ્રજાનું મન પ્રભાવિત નથી થતુ. મુક્ત-વ્યાજબી 2 સામાન્ય શબ્દો લોકશાહીના આધારસ્તંભ છે.
ચૂંટણી પંચની ફરજ છે કે તે મુક્ત-નિષ્પક્ષ ચૂંટણી યોજે
ચૂંટણી પર ભારે પ્રભાવ ન પડે ત્યા સુધી હસ્તક્ષેપ કરવામાં નહીં આવે. ચૂંટણી પંચની ફરજ છે કે તે મુક્ત-નિષ્પક્ષ ચૂંટણી યોજે છે. મુક્ત ચૂંટણી એટલે ઉમેદવાર કે એજન્ટ કોઇ ગેરરીતિ ન કરે. દેશમાં મતદાન પ્રણાલી જટિલ-અણધારી હોવાનું HCએ નોંધ્યુ છે. મતદારોને પ્રભાવિત કરનાર દેશના અનેક પરિબળો છે. ધર્મ, સમાજ-સમુદાય, રૂપિયા, ભાષા, વિચારધારા અનેક પરિબળો છે.
લોકો આંધળી રીતે સેલિબ્રિટીને પણ મત આપે
ચૂંટણી લડતા સેલિબ્રિટીથી પણ લોકો પ્રભાવિત થાય છે. લોકો આંધળી રીતે સેલિબ્રિટીને પણ મત આપે છે. સેલિબ્રિટી ચૂંટાઇને યોગ્ય સેવા ન કરે છતા પણ લોકો મત આપે છે. આવા લોકોના મનને EC કંટ્રોલ કરે એવી આશા કઇ રીતે રાખી શકો?
હાઇકોર્ટની મહત્વની ટીપ્પણીઓ
પ્રજાને કમજોર ન સમજવી જોઇએ
એક પરિણામ જાહેર થતા પ્રજાનું મન પ્રભાવિત થતું નથી
મુક્ત-વ્યાજબી 2 સામાન્ય શબ્દો લોકશાહીના આધારસ્તંભ
ચૂંટણી પર ભારે પ્રભાવ ન પડે ત્યાં સુધી હસ્તક્ષેપ નહીં
ચૂંટણી પંચની ફરજ છે કે તે મુક્ત-નિષ્પક્ષ ચૂંટણી યોજે
મુક્ત ચૂંટણી એટલે ઉમેદવાર કે એજન્ટ કોઇ ગેરરીતિ ન કરે
મતદારોને પ્રભાવિત કરનાર દેશના અનેક પરિબળો છે
ધર્મ, સમાજ-સમુદાય, રૂપિયા, ભાષા, વિચારધારા અનેક પરિબળો
ચૂંટણી લડતા સેલિબ્રિટીથી પણ લોકો પ્રભાવિત થાય છે
લોકો આંધળી રીતે સેલિબ્રિટીને પણ મત આપે છે
સેલિબ્રિટી ચૂંટાઇને યોગ્ય સેવા ન કરે છતાં પણ લોકો મત આપે છે
આવા લોકોના મનને EC કંટ્રોલ કરે એવી આશા કઇ રીતે રાખી શકો
ગુજરાતની 6 મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મનપાની 575 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ 41.75 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં સૌથી ઓછું 38.73% મતદાન અને જામનગરમાં સૌથી વધુ 49.64% મતદાન નોંધાયું છે. તો રાજકોટ 45.74%, સુરત 42.72%, વડોદરા 42.82%, ભાવનગરમાં 43.66% મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. જોકે બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. શહેરી વિસ્તારમાં લોકો બહાર ન નિકળ્યા. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. તમામ 2200 ઉમેદવારોના ભાવી EVM મશીનમાં કેદ થયા છે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે.