રાજકોટ મનપાની ચૂંટણીનો જંગ જામ્યો છે. 72 બેઠકો માટે 539 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે
રાજકોટ મનપાની ચૂંટણીનો જંગ
72 બેઠકો માટે 539 ઉમેદવારો મેદાનમાં
આવતીકાલે ફોર્મની ચકાસણી થશે
રાજકોટ મનપાની ચૂંટણીનો જંગ જામ્યો છે. 72 બેઠકો માટે 539 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. આવતીકાલે ફોર્મની ચકાસણી થશે અને મંગળવારે ફોર્મ પરત ખેંચી શકાશે. કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ રદ્દ થશે તો બબાલ સર્જાશે. ભાજપે કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેન્ટને લઇ વાધો ઉઠાવ્યો છેય વોર્ડ નં 1,2 અને 3ના ઉમેદવારોને લઇ ઉઠાવ્યો વાંધો છે. અધિકૃત નામ અને સહી ને લઇ ભાજપે ફોર્મ રદ્દ કરવા માંગ કરી છે.
18 વોર્ડ અને 72 બેઠકો યથાવત, 13 બેઠક અનામત
રાજકોટની હદમાં વધારો થયા પછી 18 વોર્ડ યથાવત રાખવામાં આવ્યા છે. રાજકોટમાં મોટા મવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર એમ પાંચ ગામનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 72 કોર્પોરેટરો ચૂંટવાના રહેશે. જેમાં 36 બેઠકો મહિલા અનામત છે. કુલ 72 બેઠકો પૈકી 5 બેઠકો અનુસૂચિત જાતિ અનામત રહેશે. તે પાંચ પૈકી 3 મહિલા અનુસૂચિત જાતિ માટે રહેશે. 7 બેઠકો બક્ષીપંચ માટે અનામત રહેશે. આ 7માં 7 બેઠકો બક્ષીપંચ મહિલા માટે અનામત રહેશે. 1 બેઠક આદિજાતિ મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત રહેશે.
મતગણતરી 2 માર્ચના રોજ
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.
23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી
જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.