પ્રહલાદ મોદીની પુત્રી સોનલ મોદીએ ટિકિટ માગી છે. અમદાવાદ મનપાની ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી દાવેદારી નોંધાવી છે.
શું કહે છે સોનલ મોદી
દાવેદારી મુદ્દે સોનલ મોદીએ VTV સાથે ખાસ વાત-ચીત કરી છે. સોનલ મોદી કહે છે કે, PMના પરિવાર તરીકે નહી પણ ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માગી છે. ભાજપના અનેક કાર્યક્રમોમાં સહયોગ આપ્યો છે. મે ક્યારેય મીડિયા સમક્ષ આવવાનું પસંદ નથી. દેશમાં PM મોદી સારૂ કામ કરી રહ્યાં છે. સ્થાનિક સ્તરે યુવાઓ સુધી યોજનાઓ પહોંચી નથી. તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે નિર્ધાર માટે ચૂંટણી લડીશ. ટિકિટ આપવી કે નહી તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.
એક દિવસ અગાઉ સંબંધિત આરોગ્ય અધિકારીને જાણ કરવી પડશે
સરકારી કે સરકાર માન્ય MBBS તબિબની પરવાનગી લેવી પડશે
કોરોનાગ્રસ્ત ઉમેદવારે PPE કીટ પહેરીને ઉમેદવારી નોંધાવી પડશે
આઈસોલેશનમાં હોય તેવા ઉમેદવારોએ 2 દિવસ અગાઉ કરવો પડશે RTPCR
આઈસોલેશનમાં હોય તેવા ઉમેદવાર માટે માસ્ક, ફેસશીલ્ડ, ગ્લોવ્ઝ ફરજિયાત
તમામ ઉમેદવારના થર્મલગનથી તાપમાનની ચકાસણી કરવી પડશે
કોરોનાના શંકાસ્પદ જણાતા ઉમેદવારને RTPCR માટે મોકલવામાં આવશે
કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ટોકન સાથે ઉમેદવારે આવવુ પડશે
કોરોનાગ્રસ્તોની ઉમેદવારી દરમિયાન અધિકારીઓને પણ PPE કીટ ફરજિયાત
ઉમેદવારી પાછી ખેંચવાના કેસમાં એક વ્યક્તિએ જ પહોચવુ પડશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.