જેતપુરમાં સૌરાષ્ટ્ર કચ્છના ચુવાળિયા કોળી સમાજની એક ચિંતન શિબીર અને મહાસંમલેન યોજાયુ હતું. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કોળી સમાજના રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી
ચુવાળિયા કોળી સમાજની ચિંતન શિબીર
સૌરાષ્ટ્ર અને કચ્છના આગેવાનોની હાજરી
"કોળી સમાજનો માત્ર રાજકીય ઉપયોગ થયો છે"
ગુજરાત ભર માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ ગઇ છે જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જિલ્લા કોર્પોરેશન અને નગરપાલિકા સહિત ની ચૂંટણી ઓ યોજાઈ રહી છે તે પહેલાં જ જેતપુર માં આજે સૌરાષ્ટ્ર કચ્છ નું ચુવાડિયા કોળી સમાજ ની એક ચિંતન શિબ્બીર અને મહા સમલેન યોજાઈ ગયું હતી જેમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છ ના કોળી સમાજ ના રાજકીય આગેવાનો જેમાં તાલુકા પંચાયત ના સદસ્યો, જિલ્લા પંચયાત ના સદસ્ય અને તમામ ચૂંટાયેલા સરપંચો એ હાજરી આપી હતી.
આ તકે ચુવાડિયા કોળી સમાજ ને તમામ રાજકીય પક્ષો દ્વારા જે રાજકીય રીતે અન્યાય થઈ રહયો છે તે બાબતે ચિંતન અને વાત કરવા માં આવી હતી સાથે સાથે એ પણ ચિંતન કરવા માં આવ્યું હતું કે જે રાજકીય પક્ષ ચુવાડિયા કોળી સમાજ ના હિત ને ધ્યાને રાખશે તેની સાથે જ સમાજ હાથ મિલાવશે, રાજકીય પક્ષો એ કોળી સમાજ નો માત્ર રાજકીય રીતે જ ઉપયોગ કરેલ છે જેને લઈ ને કોળી સમાજ હવે જાગૃત થયેલ છે, અને હવે જે રાજકીય પક્ષ કોળી સમાજ નું હિત જોશે તેની સાથે જ કોળી સમાજ હશે તેવી સ્પષ્ટ વાત કોળી સમાજ ના આગેવાનો એ કરજ હતી.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.