ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠીયા વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા
બંને પગમાં ફ્રેકચર હોવાના કારણે ઓનલાઈન પ્રચાર કર્યો
લોકશાહી જીવંત રાખવા લોકોને વધુને વધુ મતદાન કરવા કરી અપીલ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે. જામનગરમાં ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠિયા વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા. બંને પગમાં ફ્રેકચર હોવાના કારણે તેઓ વ્હીલચેર પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે પ્રચાર પણ ઓનલાઈન જ કર્યો હતો. લોકશાહી જીવંત રાખવા લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી
જામનગરના 16ની 64 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. જામનગર મનપા ચૂંટણીમાં 236 ઉમેદવાર મેદાનમાં છે. જામનગર મનપામાં 10 પક્ષો ચૂંટણી લડી રહ્યા છે.
કેટલા મતદાર?
જામનગરમાં 645 બુથ પર મતદાન થઈ રહ્યું છે અને જામનગરમાં કુલ 4 લાખ 78 હજાર 961 મતદારો છે. જામનગરમાં કુલ 2 લાખ 50 હજાર 252 પુરુષ મતદાર તેમજ જામનગરમાં કુલ 2 લાખ 38 હજાર 699 સ્ત્રી મતદાર છે.
મતદાન મથક
મનપા ચૂંટણીમાં 2200 કર્મચારીઓ ફરજ પર છે. જામનગરમાં 312 સંવેદનશીલ મતદાન મથકો અને જામનગરમાં 11 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. શહેરના 121 બિલ્ડિંગમાં 645 બુથ પર મતદાન થઈ રહ્યું છે.
જામનગરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન
ચૂંટણી માટે કુલ 3870 કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. પોલીસ અધિકારીઓ, SP, DYSP પણ સુરક્ષા માટે તૈનાત છે. 2200 પોલીસ જવાનો ચૂંટણીમાં ખડેપગે હાજર છે. SRP કંપની, હોમગાર્ડના 500 જવાનોની તૈનાતી છે જ્યારે 11 PCR, QRT મોબાઈલ ટિમ તૈનાત છે. ડોગ સ્ક્વોડની 2, બોમ્બ સ્ક્વોડની 2 ટીમો તૈનાત છે.
કોણ કોણ છે મેદાનમાં
ભાજપના 64, કોંગ્રેસના 62 ઉમેદવારો મેદાનમાં છે જ્યારે AAPના 48, BSPના 22, NCPના 11, 27 અપક્ષ ઉમેદવારો ચૂંટણીજંગ લડી રહ્યા છે.