ગઈકાલે CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પોતાના કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના ટેસ્ટ કરાવ્યો
નીતિન પટેલે ટ્વિટ કરીને આપી માહિતી
નીતિન પટેલનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. નીતિન પટેલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. જો કે નીતિન પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નીતિન પટેલે આ અંગે કહ્યુ હતુ કે, CM વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાવચેતીના ભાગરૂપે ટેસ્ટ કરાવ્યો હતો.
મારો કોરોનાનો RT-PCR ટેસ્ટ તા.૧૫.૦૨.૨૦૨૧ ને સોમવારના રોજ કરાવેલ છે. જેનો રિપોર્ટ ભગવાનના આશીર્વાદથી અને આપ સર્વેની શુભેચ્છાથી નેગેટીવ આવેલ છે.
ગઈકાલે CM રૂપાણીનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા CM રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
હેલ્થ બુલેટીનમાં થયો ખુલાસો
CM રૂપાણીની તબિયત સુધાર પર છે. આ અંગે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસારિત કરાયું છે. જેમાં CM રૂપાણીનો કોરોના અંગે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, CMના ECG, સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે. CMનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે. CMનો ઓબ્ઝરવેશન હેઠળ રખાયા છે.
CM રૂપાણી સહિત આ મોટા નેતાઓ પણ કોરોના સંક્રમિત
ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
નહીં કરી શકે ચૂંટણી પ્રચાર
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ માટે માઠા સમાચાર છે કેમ કે, CM વિજય રૂપાણી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પ્રચાર નહિ કરી શકે કારણ કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને CM રૂપાણીએ કોરોનાની સારવારના ભાગ રૂપે 14 દિવસ માટે ક્વોરન્ટાઈન થવું પડશે જો કે તેમની તબિયત સારી છે.
આ લોકોની પણ કરાશે તપાસ
મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતા સીએમ સિક્યુરિટીના જવાનોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી નિવસ્થાને આવેલું કાર્યાલય સેનેટાઈઝ કરવામાં આવશે અને મુખ્યમંત્રીના કાર્યાલયના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.