CM વિજય રૂપાણી આજે સોમનાથ દાદાને માથુ નમાવીને મિશન રાજકોટ શરૂ કરી રહ્યા છે. આ મિશન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પ્રખર બહુમતીથી જીતવા શરૂ કરાઈ રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા CM રૂપાણી મિશન પર
સોમનાથ મહાદેવના દર્શન બાદ હોમટાઉન રાજકોટમાં વિકાસના કામોની લહાણી
કોંગ્રેસના મોટા આગેવાનો ભાજપમાં જોડાય તેવી શક્યતા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી શિવજીને રીઝવવા માટે સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં પરિવાર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભોળેનાથની પૂજા અર્ચના કરી હતી. મંદિરમાં પૂજા કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી રોકાણ પણ કર્યું.. ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ પણ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરતા હોય છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે હોમટાઉનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય તે અગાઉ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
ચૂંટણી અગાઉ રાજકોટને CM રૂપાણીની મોટી ભેટ
CM રૂપાણી રાજકોટમાં રૂ.490 કરોડના કાર્યો લોકાર્પણ કરશે. કાલાવાડ રોડ પર બની રહેલા ઓવરબ્રીજનું લોકાર્પણ કરશે. આમ્રપાલી ઓવરબ્રીજનું CM રૂપાણી કરશે લોકાર્પણ કરશે એટલું જ નહીં પણ તે નવા 4 બ્રીજની કામગીરીનું CM રૂપાણી લોકાર્પણ કરશે. 416 સરકારી આવાસોને CM રૂપાણી ડ્રો કરશે. CM રૂપાણી પંચનાથ હોસ્પિટલનું ઉદ્વાટન કરશે. પંચનાથ હોસ્પિટલમાં લોકોને સસ્તા દરે સારવાર અપાશે. રાજકોટ શહેર પોલીસના કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહેશે ત્યાર બાદ રાજકોટ જિલ્લા સેવા સદનના કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહેશે. રામ મંદિર નિધી સમર્પણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને ભાજપ પેજ સમિતિના કાર્યક્રમમાં પણ સંબોધન કરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટમાં નવા જૂની થવાના એંધાણ મંડાઈ રહ્યા છે. રાજકિય સૂત્રોનું માનીએ તો CM રૂપાણીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાની આ મુલાકાત સૂચક છે.