સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચૂંટણી જંગ જામ્યો છે ચ્યારે BTP અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી ગયા છે.
શું નિવેદન આપ્યું હતુ છોટુ વસાવાએ?
ઈતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી
નરેન્દ્ર મોદીનો દેશ નથી મોદી તો 5 વર્ષ દેશના ફ્ક્ત ટ્રસ્ટી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાજ તમામ પક્ષો દ્વારા ચૂંટણીઓ જીતવા અનેક મુદ્દાઓ ને રાજકીય રંગ આપવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં ઇકો સેન્સેટિવ ના મુદ્દાએ રાજકીય મુદ્દે જોરપક્ડયું છે જેમાં ભાજપ કોંગ્રેસ અને બીટીપી આ મુદ્દે સામસામે આક્ષેપો કરી રહ્યા છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી જીતવાના દાવા કરી રહ્યા છે
શું છે મામલો
BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ હિન્દુ ધર્મ વિરૂદ્ધ એક નિવેદન આપ્યું હતુ જેને પગલે ખળભળાટ મચી ગયો હતો ત્યારે સામે ભાજપના સાંસદે પણ સણસણતો જવાબ આપતા મામલો ગરમાયો હતો.
શું નિવેદન આપ્યું હતુ છોટુ વસાવાએ?
BTP નેતા છોટુ વસાવાએ જણાવ્યું હતુ કે, ઈકો સેન્સિટીવ ઝોન અને ગામડાના લોકોને રોજગારી એ અમારો મુખ્ય મુદ્દો હશે. સરકાર આદિવાસીઓ અને મુસ્લિમોને માણસ ગણતી જ નથી એટલે જ માનવતાના આધારે BTP-AIMIM નું ગઠબંધન થયું છે. જો સરકાર આદિવાસીઓને હિંદુ ગણતા હોય તો અમને શિડયુલ 5-6 આપી દેવા જોઈએ. દેશના આદિવાસીઓ હિંદુ છે એવુ જો ભાજપ માનતું હોય મગજમાંથી કાઢી નાખે, આદિવાસીઓ હિંદુ છે જ નહીં અને જો ઈતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી. હિંદુ ધર્મની સ્થાપના કોણે અને ક્યારે કરી એ અમને બતાવો.
નરેન્દ્ર મોદીનો દેશ નથી મોદી તો 5 વર્ષ દેશના ફ્ક્ત ટ્રસ્ટી
છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીના મત છે એ મત ભેગા કરી અમે ચૂંટણી લડીશું. ભાજપ મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીમાં ભાગલા પડાવી રહ્યું છે.AIMIM ના અસદુદ્દીન ઓવૈશીને ગુજરાતમાં આવતા કોઈ રોકી શકે નહિ, આ નરેન્દ્ર મોદીનો દેશ નથી મોદી તો 5 વર્ષ દેશના ફ્ક્ત ટ્રસ્ટી છે.
ભાજપના મનસુખ વસાવાએ શું કહ્યું
આ મુદ્દે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદીવાસીઓ હિંદુ હતા છે અને રહેશે. આદિવાસીઓ આદી અનાદી કાળથી હિંદુ છે. શબરી માતા આદીવાસી હતા એમણે હિંદુ દેવ શ્રી રામની ભક્તિ ઉપાસના કરી હતી.
ઈકો સેન્સેટિવ ઝોનનું આંદોલન વધતા સરકાર ઝૂકી
ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે વિરોધ વધી રહ્યો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવાદ વધતા સરકારે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ પણ કરી દીધી છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં BTP એ "ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો અનુસૂચિ 5 બચાવો" ના નારા સાથે જંગી રેલીનું આયોજન કર્યું અને સાથે જાહેરસભા પણ કરી નાખી અને BTPના અધ્યક્ષ મહેશ વસાવા એ તો એમ કહી દીધું કે આજ ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દાને લઈ ભાજપે પણ રાજકારણ રમી રહી છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માં અમારા ઉમેદવાર ઉભા રાખી ચૂંટણીઓ લડવા
ધારાસભ્ય મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સેટિવ ઝોનનું આંદોલન વધતા સરકાર ઝૂકી ગઈ હતી અને એન્ટ્રીઓ સ્થગિત કરી હતી.ભાજપ સાંસદ મનસુખ વસાવાનુ રાજીનામાનુ એક સ્ટંટ હતું.સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે સરકારે ચૂંટણી પૂરતી આ એન્ટ્રીઓ સ્થગિત કરી છે, ચૂંટણી પતશે એટલે એન્ટ્રીઓ પાડવાનું ચાલુ થઈ જશે પરંતુ અમે આવનારી તમામ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માં અમારા ઉમેદવાર ઉભા રાખી ચૂંટણીઓ લડવાનાં છે.
તો બીજીબાજુ ભરૂચ ના સાંસદ મનસુખ વસવા એ પણ BTP ના જાહેરસભા અને રેલી ને ચૂંટણી સ્ટન્ટ ગણાવી BTP પર આકરા પ્રહાર કરવાનું ચુક્યા નહિ જેવોએ કહ્યું કે આમતો આ ઇકો સેન્સેટિવ ઝોનનો અમલ 2016માં અમલમાં આવ્યો હતો 5 વર્ષ પછી આ આ મુદ્દો જયારે હાલ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આવી ત્યારે જ આ મુદ્દો કેમ ઉઠાવી રહ્યા છે કારણે જયારે પણ કોઈ પણ ચૂંટણી આવે ત્યારે જ કોઈ પણ મુદ્દો છરવામાં આવે છે હાલ મેં પણ આ મુદ્દે સરકાર જોડે વાત કરી ઈકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો રદ થવો જોઈએ અને સરકરે પણ આ ઈકો સેન્સેટિવ ઝોન નો મુદ્દો હાલ પૂરતો મોકૂફ કરી 12 ગામોની જે એન્ટ્રી પડી હતી જેને રદ પણ કરવામાં આવી ત્યારે હાલ તો સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં નર્મદા માં ઈકો સેન્સેટિવ ઝોન ના મુદ્દે રાજકારણ ગરમાયુ છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ ઈકો સેન્સેટિવ ઝોન નો મુદ્દો કોને ફરશે જેતો આવનારો સમયજ બતાવશે
ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે BTPના અધ્યક્ષનું નિવેદન
BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે મૂડીવાદીઓનું આદિવાસીઓને ખતમ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે.ભાજપ-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે બાપ-દીકરા છે.કોંગ્રેસે વર્ષો સુધી રાજ કરી આદીવાસીઓનું શોષણ કરી ભાજપને જન્મ આપી દીકરા તરીકે દેશનું રાજ સોંપ્યું છે.ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ, પ્રકૃતિ ખતમ થઈ રહી છે, 121 ગામોને વિસ્થાપિત કરી મોટી હોટેલો, રિસોર્ટના નામે આદિવાસીઓની જમીન સરકાર હડપી લેવાનું કામ કરી રહી છે.આવનારા સમય સમય માં અમે તમામ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ની પછીમબંગાર ઓરિસ્સા માં પણ ચૂંટણી લઢીસુ પરંતુ અમે જે aimim સાથે નું ગઠબંધન સાથે અમે ગુજરાત માં તમામ જગ્યા એ ચૂંટણી લઢીસુ જેના થાકી સ્થળ સ્પોટ તરીકે અમે ઉભરી આવીશુ અને હવે આવનારી ચૂંટણી માં કોંગ્રેસ અને ભાજપ ને પરિણામ આવશે જેમાં ખબર પડી જશે જોકે આજે પણ આદિવાસી રીત રિવાજો મુજબ દેશી દારૂ અભિષેક ચઢાવી જાહેરસભા ની સરુવાત કરી હતી જેને જિલ્લા કારોબારી સભ્ય એ પણ વાત ને માની હતી