ગામડામાં ખેડૂત આંદોલનને કારણે થઈ શકે છે નુકસાન-સૂત્ર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક સર્વે સામે આવ્યા છે. આંતરિક સર્વેમાં ગામડામાં ભાજપની સ્થિતિ નબળી છે. ગામડામાં ખેડૂત આંદોલનને કારણે નુકસાન થઈ શકે છે.
ભાજપના આંતરિક સર્વેમાં મહત્વની વિગત બહાર આવી છે. જિલ્લા-તાલુકાની ચૂંટણીમાં ભાજપને નુકસાનની સંભાવના છે. શહેરમાં ભાજપને જીતની આશા છે. તેમાંય અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં મોટી લીડથી જીતની આશા છે.
ભાજપના સર્વેમાં જામનગર-ભાવનગર મહાપાલિકામાં પણ ભાજપની જીત દેખાઈ રહી છે. નગરપાલિકામાં પણ ભાજપનો હાથ ઉપર રહેશે.
સર્વે બાદ ભાજપની ડેમેજ કન્ટ્રોલ કરવાની કવાયત
ભાજપે આંતરિક સર્વે બાદ ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરી છે. ભાજપના સર્વેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાનની સંભાવના સેવાઈ રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગરમાં નુકસાન થશે. રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ નુકસાનનો અંદાજ છે.