સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરો આજે શપથ લીધા હતા. પ્રજાલક્ષી કામ કરવાનો સંકલ્પ લીધો છે. ભાજપ આજના દિવસને સમર્પણ દિવસ તરીકે ઉજવી રહ્યુ છે.
ભાજપના સંકલ્પ દિવસની ઉજવણી કરી
આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શ્રી ગણેશ-નીતિનભાઈ પટેલ
ભાજપ સ્થાનિક સ્વરાજ્યમાં મજબૂત રીતે આગળ વધશે
આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિ છે. ભાજપ દ્વારા આજે સમર્પણ દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે આ નીમિત્તે અમદાવાદના કાંકરિયામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં CM રૂપાણી, DYCM નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં અને અમદાવાદ કોર્પોરેશનના 192 ઉમેદવારોને સંકલ્પ લેવડાવીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. અન્ય 5 મનપાના ઉમેદવારો વર્ચ્યુઅલી જોડાશે.
ભાજપનાં સંકલ્પ દિવસની કરાઈ ઉજવણી
ભાજપે સંકલ્પ દિવસે ઉજવણી dycm નીતિન પટેલે કરી vtv સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, આજથી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે
ભાજપ સ્થાનિક સ્વરાજ્યમાં મજબૂત રીતે આગળ વધશે. તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપની જ જીત થશે આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપે પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે ભાજપના ચૂંટણી નિરીક્ષક આઈ.કે.જાડેજાએ કરી VTV સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, ભાજપે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ભાજપ આજથી 8 એલ.ઈ.ડી રથ દ્વારા ચૂંટણી પ્રચાર થશે અને LEDના માધ્યમથી ભાજપની કામગીરીની રૂપરેખા દર્શાવાશે. ભાજપ આગામી દિવસોમાં સંકલ્પ પત્ર નહીં વિઝન ડોક્યુમેન્ટ આપશે. અમદાવાદ મનપાના આગામી પાંચ વર્ષનું વિઝન સાથે પ્રચાર કરીશું.