સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપની કવાયત વધુ તેજ બની છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારોખાને ચીત કરી દેવાની કવાયત હાથ ધરી છે. આ વખતે કોંગ્રેસનો સફાયો કરવા અને ગુજરાતમાં છવાી જવા માટે પાટીલની ટીમ એક પછી એક કદમ ઉઠાવી રહી છે ત્યારે ગુજરાતમાં 4 મહામંત્રીઓને ખાસ જવાબદારીઓ સોંપાવમાં આવી છે.
ચૂંટણી નજીક આવતા ભાજપની કવાયત
નવા નિમાયેલા હોદ્દેદારોને જવાબદારી
4 મહામંત્રીઓને ઝોન વાઇઝ સોંપાઇ જવાબદારી
નવા નિમાયેલા હોદ્દેદારોને જવાબદારી સોંપાશે
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને જીતવા માટે નવ નિયુક્ત 4 મહામંત્રીઓને ઝોન વાઇઝ જવાબદારી સોંપાઇ છે.
ક્યાં કોને સોંપાી જવાબદારી
સૌરાષ્ટ્ર અને કચ્છની જવાબદારી વિનોદ ચાવડાને સોંપાઇ
મધ્ય ઝોનની જવાબદારી પ્રદીપસિંહ વાઘેલાને સોંપાઇ
રજની પટેલને ઉત્તર ગુજરાતની સોંપાઇ જવાબદારી
દક્ષિણ ઝોનમાં ભાર્ગવ ભટ્ટને જવાબદારી સોંપાઇ
કયાં ક્યાં યોજાશે ચૂંટણી
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે તૈયારી આરંભી દીધી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલીકા અને 51 નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસને વધારે સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે, કારણકે અસુદ્દીન ઓવેશી ની પાર્ટી એ AIMIM એ ગુજરાતમાં પોતાની સક્રિયતા દર્શાવવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ અને વડોદરામાં ઓવૈસી ની ટીમના સભ્યોએ સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠકો કરી હતી. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યની અન્ય કેટલીક બેઠકો કે જ્યાં મુસ્લિમ મતદાતાઓ પ્રભુત્ત્વ માં છે અને ઓવૈસીની પાર્ટીને સમર્થન મળી શકે તેમ છે તેવી જગ્યાઓ પર ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કરાયું છે.
કોંગ્રેસના પરંપરાગત મુસ્લિમ મતદાતાઓમાં ભાગલા પડશે
અમદાવાદ માં સાબિર કાબલીવાલા, શમશાદ પઠાણ સહિતના અગ્રણીઓ મળ્યા હતા. જેમાં મનપા ચૂંટણી માં ઝંપલાવવા અંગે ચર્ચા થઈ. જે મુજબ અમદાવાદ મનપાના 15 વોર્ડ માં AIMIM ઝંપલાવે એવી શક્યતા દર્શાવવામાં આવી. જો આવું થશે તો કોંગ્રેસને ભારે નુકશાન વેઠવું પડી શકે છે. કારણ કે કોંગ્રેસના પરંપરાગત મુસ્લિમ મતદાતાઓ માં ભાગલા પડશે.
આ તારીખે થઈ શકે છે જાહેરાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે. જેમાં 12 જાન્યુઆરીના રોજ યોજાનારી ગુજરાત ચૂંટણીપંચની મહત્વની બેઠકમાં ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી શકે છે. સૂત્રોને મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ દ્વારા 18 જાન્યુઆરીએ બપોર બાદ ચૂંટણી અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી શકે છે.હાલમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને કવાયત તેજ કરી દેવામાં આવી છે.
આમ 12 જાન્યુઆરી મળનારી ચૂંટણી પંચની બેઠક બાદ 18મીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેરાત થઇ શકે છે. ત્યારે સૂત્રોને મળતી માહિતી મુજબ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં જાહેર થઇ શકે છે.
હાલ ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ વિભાગો પાસેથી ચૂંટણી અધિકારી વિગતો મેળવશે. જો કે રાજ્યમાં ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં મતદાન યોજાશે, જ્યારે આ જ મહીનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તડામાર તૈયારી
કોરોનાકાળ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વચ્ચે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વડોદરામાં મીડિયા તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા સહિત પ્રદેશના મીડિયા ઇન્ચાર્જની ઉપસ્થિતિમાં સયાજીગંજ સ્થિતમનુભાઈ ટાવર ખાતેના મુખ્ય કાર્યાલય ખાતે એક દિવસનો મીડિયા વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા માળખુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 7 ઉપ પ્રમુખો, 5 મહામંત્રીઓ, 8 પ્રદેશ મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યાં છે.