તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની ભાજપની ફોર્મ્યુલા યથાવત રહેશે.
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
મહેશ કસવાલાની VTV સાથે વાતચીત
''ભાજપ મજબૂત રીતે લડશે''
આજથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે. પાર્લામેન્ટરી બોર્ડ બેઠક અંગે મહેશ કસવાલાએ VTV સાથે વાત કરી હતી. નવી ફોર્મ્યુલા તાલુકા અને જિલ્લા પંચાયત માટે યથાવત રહેશે.
શું છે ફોર્મ્યુલા?
60 વર્ષથી વધુ ઉમરના ઉમેદવારને તક નહિ
ત્રણ ટર્મ વધુ દાવેદરને પ્રાધાન્ય નહિ મળે
11 ફેબ્રુઆરીએ જિ.પં, તા.પં. નામો થઈ શકે છે જાહેર
4 દિવસની પાર્લામેટ્રી બોર્ડ બેઠકમાં ચાર ઝોન પ્રમાણે ચર્ચા થશે
તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપ મજબૂત રીતે લડશે
કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા
મતગણતરી 2 માર્ચના રોજ
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.
23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી
જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.