ભાજપમાં ટિકિટ જાહેર થતા અસંતોષનો મામલો બિચક્યો હોય તેવું લાગી રહ્યું છે. ખાનપુર કાર્યાલયે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પહોંચ્યા હતા અને કાર્યકરોની નારાજગી દૂર કરવા પ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતુ.
શું કહ્યું પ્રદિપસિંહે?
ભાજપે કોઇ બુટલેગરને ટિકિટ નથી આપી. કાર્યકરોની લાગણી હતી રોષ કે વિરોધ નથી. કાર્યકરોને સાંભળવામાં આવ્યા, તેઓ સંતુષ્ટ છે. કાર્યકરોએ ફરી કામે લગાવા હુંકાર કર્યો છs. 175 બેઠકના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યાં છીએ.
ભાજપમાં ઉમેદવારને લઇ વધુ એક વોર્ડમાં નારાજગી
ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. બુટલેગરના પત્ની નીતા પરમારને ટિકિટ આપતા વિરોધ થઈ રહ્યો છે. પક્ષ હવે કાર્યકર નહિ બુટલેગર છાવરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
MLA વલ્લભ કાકડીયાનો પણ ઇન્ડિયા કોલોની વોર્ડના કાર્યકરોએ કર્યો
શું છે વિખવાદ
ભાજપમાં અસંતોષની લાગણીને ડામવા પ્રયાસ કરાઈ રહ્યા છે. નવા ઉમેદવારોને ટિકિટ ફાળવાતા આંતરિક વિખવાદ સામે આવ્યો છે. પ્રદીપસિંહ જાડેજાની મુલાકાતને લઇ ઘણા તર્ક વિતર્ક થી રહ્યા છે.
લઘુમતી સમુદાયના લોકોમાં નારાજગી
અમદાવાદ ભાજપના લઘુમતી સમુદાયના લોકોમાં નારાજગી જોવા મળી છે. લઘુમતી સમુદાયના લોકોએ ખાનપુર કાર્યાલય પહોંચી વિરોધ કર્યો. તેઓએ કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસની વાત બાદ લઘુમતી સમુદાયના લોકો સાથે કેમ અન્યાય કરાયો?. જુહાપુરા, ગોમતીપુર, મકતમપુર સહિતના વિસ્તારમાં નારજગી જોવા મળી છે. લઘુમતી સમુદાયના કાર્યકરોએ કાર્યાલયના અગ્રણીઓને આવેદન આપ્યું છે.
192 ઉમેદવારનાં નામ જાહેર થઇ ગયાં
અમદાવાદમાં ભાજપ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના 192 ઉમેદવારનાં નામ જાહેર થઇ ગયાં છે. ત્યારે અમદાવાદ ભાજપ ખાનપુર કાર્યાલયે કેટલાક વિસ્તારના કાર્યકર્તાઓ અહીં આવીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભાજપના પદાધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, જેને લઈને ક્યાંય ને ક્યાંય એવું પણ લાગી રહ્યું છે કે કેટલાક કાર્યકતાઓ રાજીનામું આપીને બીજી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે.