આમ તો અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ બફાટ કરવા માટે જાણીતા છે પણ આ વખતે તેમણે ખુદ ચૂંટણીપંચ પર સવાલો પેદા થાય તેવું નિવેદન આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નિવેદન
પૂર્વ મેયર બીજલ પટેલે કર્યો બફાટ
મીડિયા સેલની મીટિંગમાં ભાંગરો વાટ્યો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપની મીડિયા સેલની મીટીંગ યોજાઈ હતી જેમાં અમદાવાના પૂર્વ મેયર બીજલ બેન પટેલ ફરીથી બફાટ કરીને ભાંગરો વાટ્યો હતો. ભાજપની અમદાવાદ મીડિયા સેલની મીટિંગ યોજાઈ હતી જેમાં પત્રકારો સાથેની વાતચીતમાં બીજલ પટેલે બફાટ કર્યો હતો.
શું કહ્યું બીજલ પટેલે?
સ્થાનક સ્વરાજ્યની ચુંટણી આવી રહી છે ત્યારે અમદાવાદના નાગરિકોને જાગૃત કરવા માટે મીડિયા સેલનો મીડિયા સેલ યોજાઓ છે. 21 તારીખ સુધીમાં દરેક મહાનગરપાલિકા અને જિલ્લાઓ સહિત તમામ વોર્ડ સુધી આ રીતે અલગ અલગ પદો આપીને નાગરિકો સુધી પહોંચવામાં સફળતા મળશે.
ચૂંટણી કોણ યોજશે?
જ્યારે પત્રકારોએ પૂછ્યુ કે ચૂંટણી ક્યારે યોજાશે તો મેયરે કહ્યું કે, સંગઠનમાં મોવાળી મંડળમાં વાતચીત ચાલુ છે. ટુંક જ સમયમાં અમને જાણ કરાશે. હવે બીજલબેનને કોણ કહે કે ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ નક્કી કરે ભાજપનું મોવાળી મંડળ નહીં. તેમના આ નિવેદનને પગલે તેઓ ટીકાને પાત્ર બન્યા હતા.