ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજો મોરચો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે. આપ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાનું આહ્વાન આપવામાં આવ્યું છે જેમાં આપના નેતા આતીશી આવતી કાલથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય બની
આવતીકાલે આતીશી મર્લેના ગુજરાત આવશે
રાજકોટ અને અમદાવાદની લેશે મુલાકાત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી છે. દિલ્હીથી એક પછી એક નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ AAP રણનીતિ તૈયાર કરી રહ્યુ છે ત્યારે આવતીકાલે દિલ્લીથી AAP નેતા આતિશી ગુજરાત આવશે. જેમાં કાલે રાજકોટ અને 3 ડિસેમ્બરના અમદાવાદમાં હાજર રહેશે . ગુજરાતના AAPના કાર્યકર્તા અને નેતાઓ સાથે બેઠકો કરશે .
ક્યારે યોજાશે ચૂંટણી
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે તૈયારી આરંભી દીધી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલીકા અને 51 નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે 5મી જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરાશે. અને આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
ભાજપમાં પેજ પેનલ તૈયાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય રીતે કોંગ્રેસ ભાજપને કાંટાની ટક્કર આપે છે અને ક્યાંક ક્યાંક તો જીતી પણ જાય છે અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં તો કોંગ્રેસ મેદાન મારી જાય છે. બીજે પક્ષે આ વખતે C R Patil ચૂંટણી જીતવા કટીબદ્દ છે જ્યારે કોંગ્રેસ હજુ કંઈ ખાસ નક્કર તૈયારીઓ દેખાતી નથી.
અમદાવાદ મનપામાં 175 બેઠકો જીતવાનો ભાજપનો લક્ષ્યાંક છે. શહેર ભાજપના હોદ્દેદારોની 175 બેઠકો જીતવા યોજના ઘડવામાં આવી રહી છે અને એમાંય દરિયાપુર, શાહપુર, બાપુનગર, સરસપુર, રખિયાલ બેઠકો પર ભાજપ દ્વારા વિશેષ ધ્યાન અપાશે. 2015માં મનપા ચૂંટણીમાં ભાજપને 142 બેઠકો મળી હતી. 2010માં અમદાવાદ મનપામાં ભાજપને 151 બેઠકો મળી હતી. સી.આર.પાટીલે સંગઠનના હોદ્દેદારોને પણ આશ્વાસન આપ્યું છે. સંગઠનના લોકો પણ ચૂંટણી લડી શકે છે.