જમ્મૂ-કશ્મીરમાં LOC પર પાકિસ્તાન વારંવાર સિઝફાયર અને ગોળીબાર કરી તેના પાલતુ આતંકીઓને ઘુસાડવાની કોશિશ કરી રહ્યું છે. જેના પગલે તણાવ ભર્યો માહોલ છે. તેવામાં સરહદ પર જવાનોના હિંમતને વધુ મજબૂત કરવા લેફ્ટનન્ટ જનરલ રણબીરસિંહ તેમની વચ્ચે પહોંચી ગયા હતા અને જવાનો સાથે સંવાદ કર્યો હતો.
લેફ્ટનન્ટ જનરલ રણબીરસિંહ પહોંચ્યા LOC
જવાનોના પ્રયાસનો બિરદાવ્યો
સેનાને જવાનોની કામગીરીને બિરદાવી
આ સાથે-સાથે જવાનો સાથે વાતચીત કરતા તેમને શાબાશી પણ આપી હતી. કારણ કે, જે રીતે પાકિસ્તાની સેના સરહદ પર આતંકીઓને ઘૂસાડવાની કોશિશ કરી રહ્યું છે. તે તમામ પ્રયાસોને આપણા જવાનો નિષ્ફળ બનાવી રહ્યા છે. આ સાથે જ પાકિસ્તાનને તેની ઔકાત બતાવી રહ્યા છે. જેવા માહોલમાં જનરલ રણબીરસિંહની આ મુલાકાત ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઇમરાન ખાનની વારંવાર ધમકી
Lt General Ranbir Singh: There are a large no. of leaders across LoC to instigate people of PoK. It's actually trying to use them as cannon fodder for attempts to come close to LoC. Should there be any misadventure, they shall be given a befitting response https://t.co/4dYw9aKAM3
આપને જણાવી દઇએ કે, ભારત સરકાર દ્વારા ગત મહિને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધની ધમકી આપવામાં આવી રહી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન જ્યાં બંન્ને રાષ્ટ્રો પરમાણુ સંપન્ન હોવાનો ઉલ્લેખ કરીને યુદ્ધની સ્થિતિમાં દુનિયાએ ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી છે. તો આ તરફ પાકિસ્તાનના રેલવે મંત્રીએ ઓક્ટોબર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.
પાક. દ્વારા કરવામાં આવી રહ્યું છે સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાન દ્વારા સરહદ પર વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે. આજે ફરી પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે.
પાકિસ્તાન સેનાનો વિડીયો થયો વાયરલ
જો કે બીજી તરફ પાકિસ્તાની સેનાએ પોતાના જવાનો ઠાર મરાયાનો ઇન્કાર કર્યો છે. જો કે હાલમાં સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાનના સૈનિકો સફેદ ધ્વજ લઇને મૃતદેહ લઇ જઇ રહ્યાં છે. વીડિયોમાં દેખાઇ રહ્યાં મુજબ તેઓ સફેદ ધ્વજ લઇને જવાનોના મૃતદેહ લઇ જતાં જોવા મળી રહ્યાં છે.