ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ પક્ષોમાં કંઇક ને કંઇક નવાજૂની થતી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ટિકિટ લોબિંગ જોવા મળી રહ્યું છે.
તાજેતરમાં જ નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગરના પ્રભારી પદેથી હટાવાયા હતા
રાજકોટ ભાજપના વોર્ડ નંબર 8ના વોટ્સએપ ગ્રુપમાં લોબિંગ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી નીતિન ભારદ્વાજને ઉમેદવાર બનાવવા લોબિંગ ચાલી રહ્યું છે. વિજય રૂપાણીની બેઠક રાજકોટ પશ્ચિમના ઉમેદવાર માટે વોટ્સએપ ગ્રુપમાં લોબિંગ ચાલી રહ્યું છે.
નીતિન ભારદ્વાજને આ બેઠકના ઉમેદવાર બનાવવા વોટ્સએપમાં લોબિંગ ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 8ના ગ્રુપમાં નીતિન ભારદ્વાજનું લોબિંગ શરૂ થતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાઇ રહ્યાં છે. તાજેતરમાં જ નીતિન ભારદ્વાજને સુરેદ્રનગરના પ્રભારી તરીકે બદલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પૂર્વ સીએમ વિજય રૂપાણીના ખાસ ગણાતા એવા નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી પદેથી હટાવતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે રાજકોટ ભાજપના વોર્ડ નંબર 8ના વોટ્સએપ ગ્રુપમાં નીતિન ભારદ્વાજને વિજય રૂપાણીની બેઠક રાજકોટ પશ્ચિમના ઉમેદવાર બનાવવા લોબિંગ ચાલી રહ્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 21, 2022
નીતિન ભારદ્વાજના સ્થાને હવે કોણ છે સુરેન્દ્રનગરના ભાજપ પ્રભારી?
નીતિન ભારદ્વાજના બદલે સુરેન્દ્રનગરના નવા પ્રભારી તરીકે સુરેશ ગોધાણીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે સહપ્રભારી નિમુબેન બાંભણીયાને યથાવત રાખવામાં આવ્યા છે.
ત્રીજો, ચોથો કે પાંચમો પક્ષ આવે, પણ આવશે તો ભાજપ જ: વજુભાઇ વાળા
એ સિવાય વિધાનસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં બરાબર રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે એક દિવસ અગાઉ ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ ચૂંટણીલક્ષી મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, 'ગુજરાતમાં ભાજપ માટે 182 બેઠક મેળવવી અઘરી ખરી પણ શક્ય છે. કોઇપણ કાર્ય પાછળ મહેનત કરીએ તો ધાર્યુ પરિણામ મળે જ. ત્રીજો, ચોથો કે પાંચમો પક્ષ આવે, પણ આવશે તો ભાજપ જ.'
તો પરિવારવાદ વિશે પણ તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'પીએમ મોદીએ શ્રીકૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્વ નથી આપ્યું. ભગવાન કૃષ્ણએ પણ ધર્મ માટે મામાનો વધ કર્યો હતો. પીએમ મોદી પણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદના વિરોધી છે.'