પાતાળ સુધી જનારી આ ગુફામાં ભગવાન શિવ બિરાજે છે. જમીનથી લગભગ 120 કિમી ઉંડાઈ પર રહેલી આ ગુફામાં જઈને તમને અદ્ધભૂત નજારા જોવા મળશે.
ઉત્તરાખંડના કુમાઉમાં અલ્મોડાથી શેરાઘાટ તરફથી 160 કિમી દૂર ગંગોલી હાટ કસ્બામાં રહેલી આ ગુફા આશ્ચર્યથી પમાડે તેમ છે.
આ ગુફામાં ચારે યુગના પ્રતીક રૂપમાં ચાર પત્થર સ્થાપિત છે. તેમાંથી એક પત્થર જેને કળયુગનું પ્રતિક માનવામાં આવે છે જે ધીરે ધીરે ઉપર ઉઠી રહ્યો છે.
માનવામાં આવે છે કે જે દિવસે આ કળયુગનો પ્રતિક પત્થર દિવાલ સાથે ટકરાઈ જશે તે દિવસે કળયુગનો અંત આવી જશે.
જ્યારે સ્કંદપુરાણમાં વર્ણન છે કે સ્વયં મહાદેવ શિવ પાતાળ ભુવનેશ્વરમાં બિરાજમાન રહે છે અને અન્ય દેવી-દેવતા તેમની સ્તુતી કરવા અહીં આવે છે.
સાથે એ પણ કહેવાય છે કે ત્રેતા યુગમાં અયોધ્યાના સૂર્યવંશી રાજા ઋતુપર્ણ જ્યારે એક જંગલી હરણ નો પીછો કરતા આ ગુફામાં આવી ગયા હતા ત્યારે તેઓએ આ ગુફાની અંદર મંહાદેવ શિવ સહિત 33 કોટિ દેવતાઓના સાક્ષાત દર્શન કર્યા હતા.