જૂન મહિનાની શરૂઆત સાથે જ હોમ લોન લેનારાઓને મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે. દેશની 3 મોટી બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
દેશની 3 મોટી બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો
દેશની મુખ્ય બે સરકારી અને એક ખાનગી બેંકે આ નિર્ણય લીધો
બેંકોએ માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં ફેરફાર કર્યો
દર મહિને ઘણા નિયમો બદલે છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે. એવામાં હાલ જૂન મહિનાની શરૂઆત સાથે જ હોમ લોન લેનારાઓને મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે. વાત એમ છે કે દેશની બે મોટી બેંકોએ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આમાં દેશની મુખ્ય સરકારી બેંકો પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ ઈન્ડિયા અને ખાનગી ક્ષેત્રની વિશાળ ICICI બેંક નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ બેંકોએ માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં ફેરફાર કર્યો છે.
પંજાબ નેશનલ બેંક (PNB) એ ટર્મ લોનમાં ફેરફાર કર્યા
નવા ફેરફારો હેઠળ, પંજાબ નેશનલ બેંકે તમામ કાર્યકાળ માટે બેંક લોનના દરમાં વધારો કર્યો છે જે આ મહિનાની પહેલી તારીખથી લાગુ થઈ ગયો છે. જણાવી દઈએ કે PNBએ તમામ કાર્યકાળ માટે વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે અને આ વધારા બાદ PNBની એક વર્ષની લોનનો વ્યાજ દર 8.60 ટકા, ત્રણ વર્ષની લોનનો દર 8.90 ટકા થઈ ગયો છે.
ICICI બેંકની લોન મોંઘી
ખાનગી ક્ષેત્રની ICICI બેંકે પસંદગીના સમયગાળા માટે લોનના દરોમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત ICICI બેંકે કેટલાક કાર્યકાળ માટે MCLRમાં વધારો કર્યો છે. બેંકે 6 મહિના અને 1 વર્ષના કાર્યકાળના બીપીએસમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકે 6 મહિનાની લોનનો દર વધારીને 8.75 ટકા કર્યો છે. તે જ સમયે એક વર્ષની લોનનો દર 8.85 ટકા રહેશે.
બેંક ઓફ ઈન્ડિયાની લોન પણ મોંઘી છે
બેંક ઓફ ઈન્ડિયાએ પણ તેની તમામ મુદતની લોન મોંઘી કરી છે. બેંકે MCLR દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. વધારા બાદ હવે એક વર્ષની લોનનો વ્યાજ દર 8.65 ટકા પર પહોંચી ગયો છે.