સુપ્રીમ કોર્ટે કોવિડ-19ના કારણે મોરેટોરિયમ સમયગાળા દરમિયાન વ્યાજ પર છૂટ આપવાના દિશા-નિર્દેશવાળી અરજી પર સુનાવણી કરી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરતાં મોરેટોરિયમને બે વર્ષ વધારવાના સંકેત આપ્યાં છે. પરંતુ આ કેટલાક સેકટરોને આપવામાં આવશે.
સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આ સેકટરોની યાદી સોપી છે, જેને આગળ રાહત આપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ મામલે હવે બુધવારના રોજ સુનાવણી કરશે અને બધા પક્ષકાર કાલે સોલિસિટર જનરલના માધ્યમથી મોરેટોરિયમ મામલે પોતાનો જવાબ દાખલ કરશે.
Supreme Court says that they will hear the matter and all the parties tomorrow after Union of India, through the Solicitor General, filed its reply in the moratorium issue. https://t.co/tLKmUkwxZt
ગત અઠવાડિયે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે લોન મોરેટોરિયમ મામલે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે અને આ મુદ્દે જલ્દી એફિડેવિટ દાખલ કરે. લોન મોરેટોરિયમ એટલે કે લોનના હપ્તા ચુકવવા માટે મળેલા સમય દરમિયાન વ્યાજ માફીના અનુરોધવાળી એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, અર્થવ્યવસ્થા જે સમસ્યાઓનો સામનો કરી રહી છે, તેની પાછળ એક જ કારણ લોકડાઉન છે.
શું છે મોરેટોરિયમ
ખરેખર, લોન મોરેટોરિયમ એક એવી સુવિધા છે, જેના હેઠળ કોરોના પ્રભાવિત ગ્રાહકો અથવા કંપનીઓને છૂટ આપવામાં આવી હતી. જેના હેઠળ ગ્રાહકો અને કંપનીઓની પાસે આ સુવિધા હતી કે તેઓ પોતાના મંથલી EMIને ટાળી શકે છે. આ સુવિધા સાથે ગ્રાહકોને રાહત તો મળી જાય છે, પરંતુ તેઓ આગળ જઇને વધારે રૂપિયા ચુકવવા પડે છે.