લોન મોરેટોરિયમના સમયમાં વ્યાજની ઉપર લાગનારા વ્યાજ પર લોકોને રાહત મળી શકે છે. પૂર્વ કૈગ રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે. આ પ્રકારના મામલામાં તે સલાહ આપી શકે છે.
31 ઓગસ્ટે લોન મોરેટોરિયમ સુવિધાનો સમય પુરો થયો
પૂર્વ કૈગ રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી
સમિતિને એક અઠવાડીયમાં રિપોર્ટ સોંપવા કહેવાયુ
ભારતીય રિઝર્વ બેંક દ્વારા 6 મહિના માટે આપવામાં આવેલી લોન મોરેટોરિયમનો સમય ખતમ થઈ ચૂક્યો છે. 31 ઓગસ્ટે લોન મોરેટોરિયમ સુવિધાનો સમય પુરો થયા બાદ આ મહિનાથી ઉઘારકર્તાઓએ પોતાની ઈએમઆઈ ભરવી પડી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ લોન મોરેટોરિયમના સમયના ઉપરના વ્યાજમાં રાહત મળી શકે તેમ છે. પૂર્વ કૈગ રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે. જે આમાં સલાહ આપશે.
આ સમિતિ જોશે કે રાહતનો બોજો બેંકની બેલેન્સશીટ કે ડિપોજિટ્સ પર નહીં પડે ને. કેમ કે કોરોનામાં તેમને પણ નુકસાન થયું છે. સમિતિ પસંદગીદાર લોનધારકોને ચક્રવૃદ્ધિ વ્યાજને રોકવામાં રાહત આપી શકે છે. જેમાં નાના લોનદારનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત રાહતની રકમ પણ નક્કી કરાશે. તમામ પર વિચારણા થશે.
સુપ્રીમ કોર્ટે આ અંગે સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરી દેવા કીધુ છે. જેને જોાતા 10 સપ્ટેમ્બરે મહર્ષિ પેનલ બનાવવામાં આવ્યું છે. અને સમિતિને એક અઠવાડીયમાં રિપોર્ટ સોંપવા કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ વ્યાજ માફીના પક્ષમાં નથી. સેન્ટ્રલ બેંકે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોનાને લીધે ફાઈનાન્શિયલ સેક્ટરને મોટુ નુકશાન થયું છે. જેની ભરપાઈ ડિપોજિટર્સને ભોગવવી પડશે. સરકારે આરબીઆઈને સમર્થન કર્યુ છે.
બેંકરોની અરજદારો સાથે વાતચીત બાદ સુપ્રીમ કોર્ટ 28 સપ્ટેમ્બરે મોરેટોરિયમ સાથે જોડાયેલી અરજી પર ફરી સુનવણી શરુ કરશે. સરકારે રાહતનો કેટલોક અથવા સંપૂર્ણ બોજો પોતાના પર લેવો પડશે. એવું એટલા માટે કેમ કે સરકારી બેંકોમાં તેમની માલિકાના ભાગીદારી છે. આવી સ્થિતિમાં તેને પ્રાઈવેટ્સ બેંકો અને કો-ઓપરેટિવ બેંકો તરફથી ગ્રાહકોને આપવામાં આવેલી રાહતનું ભાર ઉપાડવો પડશે. આ મામલામાં લોનધારકોના ઈએમઆઈની ચૂકવણીને રોકી હતી. સૂત્રોએ જણાવ્યું કે પોતાની આજીવીકા માટે વ્યાજ પર આધાર રાખતા પેન્શનર્સ જેવા ડિપોજિટર્સને મહામારીથી નુકશાન થયું છે.
બ્રોકરેજ ફર્મ મૈક્વાયરીનું અનુમાન છે કે વ્યાજ માફીથી બેંકિંગ સિસ્ટમ પર 2.1 લાખ કરોડ રુપ્યાનો બોઝો પડશે. ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાથી આ લગભગ 15000 કરોડ રુપિયા આવશે. સુપ્રીમ કોર્ટે બેંકોને કોઈ પણ લોનને આવનારા નોટિસ સુધી એનપીઆઈ તરીકે જાહેર ન કરવા આદેશ કર્યો છે.