લોન મોરેટોરિયમના સમયના વ્યાજ પરના વ્યાજની માફીને લઈને અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટે આજે સુનવણી કરશે. પહેલા 5 નવેમ્બરે આ કેસમાં સુનવણી થવાની હતી. પરંતુ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સુનવણી 18 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવે. કેમ કે સોલિસિટર જનરલ કોઈ કામમાં વ્યસ્ત હતા. જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેન્ચ છ મહિનાના લોન મોરેટોરિયમવાળી અરજી પર સુનવણી કરી રહી છે.
પહેલા 5 નવેમ્બરે આ કેસમાં સુનવણી થવાની હતી
2 કરોડ સુધી દેવું લેનારા પાસેથી મોરેટોરિયમ સમયના વ્યાજ પર વ્યાજ નહીં
ડિફરન્સ 5 નવેમ્બર સુધીમાં લોનધારકોને પાછુ કરવામાં આવશે
આ મામવામાં નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરી ચૂકી છે કે સરકાર મોરેટોરિયમના સમય પર વ્યાજ પર વ્યાજ ન વસૂલવાની યોજના તૈયાર કરી છે અને 2 કરોડ સુધી દેવું લેનારા પાસેથી મોરેટોરિયમ સમયના વ્યાજ પર વ્યાજ નહીં લેવામાં આવે. એમ પણ જણાવ્યું કે 2 કરોડ સુધીના દેવા પર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજની વચ્ચે વસૂલવામાં આવશે. બાકીનો ડિફરન્સ 5 નવેમ્બર સુધીમાં લોનધારકોને પાછુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં લાગેલા લોકડાઉનમાં અનેક લોકોની નોકરીઓ ચાલી ગઈ હતી. એવામાં લોનનો હપ્તો ચૂકવવો મુશ્કેલ હતો. ત્યારે રિઝર્વ બેંકે લોન મોરેટોરિયમમાં સગવળ આપી હતી. એટલે કે લોન પર હપ્તા ટાળી દેવામાં આવ્યા હતા. પણ લોન પર મોરેટોરિયમનો લાભ લેનારાઓએ હપ્તા ન ભર્યા તો તેમનું વ્યાજ મૂળ ધનમાં જોડવામાં આવશે. એટલે કે મૂળ રકમ પ્લસ વ્યાજ પર વ્યાજ લાગશે. આ જ વ્યાજ પરના વ્યાજનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે.
આ લોન પર મળશે લાભ
કોરોના દરમિયાન આરબીઆઈએ 1 માર્ચથી 31 ઓગસ્ટ સુધી લોન મોરેટોરિયમનો લાભ આપવાનું એલાન કર્યું હતું. જેમાં 6 મહિનાના વ્યાજ પર વ્યાજની રકમ પાછી કરવા કેન્દ્ર સરકારે સહમતિ દર્શાવી હતી. સરકારની આ સ્કીમનો લાભ ઘર લોન, શિક્ષણ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ, વાહન લોન, MSME (સૂક્ષ્મ, લઘુ તેમજ માઇક્રો ધંધા), ટકાઉ ગ્રાહક સામાન માટે લેવામાં આવેલી લોન તેમજ વપરાશ માટે લેવામાં આવેલી લોન ધારકોને મળશે.
શુ છે શરત?
નાણાંકીય સેવા વિભાગ દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશ અનુસાર લોન ચૂકવાનાર (દેવાદાર) સંબંધિત લોન ખાતા પર યોજનાનો લાભ લઈ શકે છે. આ લાભ 1 માર્ચ 2020થી 31 ઓગસ્ટ, 2020 સુધીના સમય માટે છે. જેના અનુસાર જે દેવાદારો ઉપર 29 ફેબ્રુઆરી સુધીની કુલ લોન 2 કરોડ રૂપિયાથી વધારે નથી, આ યોજનાનો લાભ ઉઠાવવા માટે લાયક ગણાશે.
શું છે મોરેટોરિયમ
ખરેખર, લોન મોરેટોરિયમ એક એવી સુવિધા છે, જેના હેઠળ કોરોના પ્રભાવિત ગ્રાહકો અથવા કંપનીઓને છૂટ આપવામાં આવી હતી. જેના હેઠળ ગ્રાહકો અને કંપનીઓની પાસે આ સુવિધા હતી કે તેઓ પોતાના મંથલી EMIને ટાળી શકે છે. આ સુવિધા સાથે ગ્રાહકોને રાહત તો મળી જાય છે, પરંતુ તેઓ આગળ જઇને વધારે રૂપિયા ચુકવવા પડે છે.