ભારતીય રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિની 3 દિવસની બેઠક આજે એટલે કે બુધવારે પુરી થઈ છે. ત્યારે સામાન્ય નાગરિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. લોનની EMI પર આજે RBIએ નિર્ણય લીધો છે.
આરબીઆઈએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો
શક્તિકાંત દાસે આ બેઠકના પરિણામોની જાહેરાત કરી
કહેર વધવા છતાં ઈકોનોમીમાં સુધારો થઈ રહ્યો છે
આરબીઆઈએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો
ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. જેના કારણે લોનની ઈએમઆઈ પર વધારે રાહત નથી મળી. રિઝર્વ બેંકના રેપો રેટને 4 ટકા પર યથાવત રાખ્યો છે.
શક્તિકાંત દાસે આ બેઠકના પરિણામોની જાહેરાત કરી
આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકના પરિણામોની જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે એમપીસીની 3 દિવસની બેઠક 5 એપ્રિલે શરુ થઈ હતી. રિઝર્વ બેંકે આ નાણા વર્ષ એટલે કે 2021-22 માટે જીડીપી ગ્રોથના અનુમાનને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે.
કહેર વધવા છતાં ઈકોનોમીમાં સુધારો થઈ રહ્યો છે
શક્તિકાંત દાસે કહ્યું કે કોરોનાનો કહેર વધવા છતાં ઈકોનોમીમાં સુધારો થઈ રહ્યો છે. જો કે હાલની સ્થિતિમાં જે રીતે મામલા વધી રહ્યા છે તેમાં થોડી અનિશ્ચિતતા વધી છે. પરંતુ ભારત પડકારોને પહોંચી વળવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારીમાં 5 ટકાની ઉંચાઈ પર રહેવા છતાં આ રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાના દાયરામાં આવે છે.
બેંક રેટ પણ 4. 25 ટકા પર યથાવત છે
રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને પણ 3. 35 ટકા પર બરકરાર રાખ્યો છે. બેંક રેટ પણ 4. 25 ટકા પર યથાવત છે. રેપો રેટ એ દર હોય છે કે જેના પર બેંકો ને રિઝર્વ બેંકમાંથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો દર એ રેટ હોય છે જેના પર રિઝર્વ બેંક પોતાની પાસે બેંકો દ્વારા પૈસા જમા કરવા પર બેંકોને વ્યાજ આપે છે.
આ છે જીડીપીનો અંદાજ
કોરોનાના છતાં રિઝર્વ બેંકે આ વર્ષે એટલે કે 2021-22 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 10.5 ટકા પર બરકરાર રાખ્યુ છે. એમપીસીએ ગત એલાનમાં જીડીપીનું આ અનુમાન જારી કર્યુ હતુ.
ગત વર્ષ પણ નહોંતો થયો ફેરફાર
ઉલ્લેખનીય છે કે આની પહેલા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 5 ફેબ્રુઆરીએ થયેલા દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત દરમાં કોઈ ફેરફાર નથી કર્યો અને રેપો રેટ 4 ટકા પર બરકરાર રાખ્યો હતો. જાણકારોનું કહેવું છે કે રિઝર્વ બેંક હવે વ્યાજ દરોમાં કોઈ ફેર માટે કોઈ ખાસ તકની રાહ જોશે.