કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના ભાઇ અને બિહારના હાજીપુર સંસદીય ક્ષેત્રથી સાંસદ પશુપતિ કુમાર પારસ રવિવારે પોતાના ક્ષેત્રના હરિવંશપુર ગામ પહોંચ્યા. અહીં એમણે દવાઓ અને એઇએસને કારણે મૃત્યું પામેલ પરિવાર વચ્ચે 5-5 હજાર રૂપિયા વહેંચ્યા. આ ક્ષેત્ર એઇએસથી પ્રભાવિત છે.
એઇએસને કારણે ઘણા બાળકોના મોત થયા બાદ જ્યારે સ્થાનિય જનપ્રતિનિધિઓએ અહીં આવવાની તસ્દી ન લીધી તો શનિવારે ગ્રામીણોએ રામવિલાસ પાસવાનના ગુમ થયાના પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટરમાં લખ્યું હતું કે, ''કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ગુમ છે. શોધી લાવનારને 15 હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે.''
#WATCH Bihar: Residents of Harivanshpur village in Vaishali raise slogans against LJP MLA of Lalganj, Raj Kr Sah, as he visits the village to inquire into the health of villagers. People had put missing posters against him y'day alleging that he never visited the area. pic.twitter.com/0lzCv9PVB3
સ્થાનિય સાંસદ પણ લોજપા પાર્ટીના છે. એમના પર આરોપ છે કે તે લાંબા સમયથી ક્ષેત્રમાં પહોંચ્યા નથી. ગ્રામીણોએ પોસ્ટર ધારાસભ્યને શોધી લાવનારને 5000 રૂપિયા રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ ગામમાં 7 બાળકોના મોત થઇ ગયા છે. બાળકોના મોત બાદ જનપ્રતિનિધિઓની મુલાકાત ન લેવા પર જનતામાં આક્રોશ હતો.
રવિવારે જ્યારે લાલગંજના લોજપા ધારાસભ્ય રાજ કુમાર શાહ પશુપતિ પારસ સાથે હરિવંશપુર ગામમાં પહોંચ્યા હતા તો નારાજ ગ્રામીણોએ તેમના વિરુદ્ધ નારેબાજી કરી હતી.